SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ મારો સ. (401) તું તૃપ્ત ન થે, તે શું તૃષાવાળે થઈને બિંદુ સમાન મનુષ્ય સંબંધી કામગવડે તું તૃપ્તિ પામવાનો છે?” - આ પ્રમાણે પૂર્વભવનો સર્વ વૃત્તાંત સાંભળી મેં ગુરૂને કહ્યું કે–“હે મુનિ ! કલ્પવૃક્ષ જેવા તમે તમારું દર્શન મને આપ્યું છે, તેથી તમે ખરેખરા ભાઈને યોગ્ય કાર્ય કર્યું છે. હું તમારી વાણીથી પ્રતિબંધ પામ્યો છું, પરંતુ વ્યંતરદેવે હરણ કરેલી મારી પ્રિયા ઉપરના પૂર્વભવના સ્નેહને લીધે તત્કાળ સંસારને ત્યાગ કરવાને હું સમર્થ નથી. તેથી તેને પાછી લાવવાને ઉપાય તથા કન્યાને ચગ્ય વર બતાવ, કે જેથી તે બંને કાર્ય કરી કેટલીક વખત સંસારમાં રહી કૃતાર્થ થઈને પછી હું વ્રત ગ્રહણ કરૂં.” ત્યારે મુનિએ કહ્યું કે –“જે રાજા યોગિનીઓએ ગ્રહણ કરેલા પવનવેગના પુત્ર વાવેગને પોતાની શક્તિથી મૂકાવશે, તે જ ઉત્તમ બળવાન રાજા પ્રાર્થના કરવાથી તારી પ્રિયાને મૂકાવશે અને જગતમાં ઉત્તમ એ તે જ તારી કન્યાનો વર થશે. વળી તારૂં ભેગાવળી કર્મ કાંઈક બાકી છે, તે ભગવ્યા પછી તું પ્રવ્ર ગ્રહણ કરજે કે જેથી આ પણે બન્ને સાથેજ મોક્ષ પામશું.” આ પ્રમાણે મુનિનાં વચન સાંભળી પૂર્વભવની સ્મૃતિ થવાથી હું સંસારમાં આસક્તિ રહિત થયા છતાં પ્રિયાનું સ્મરણ કરતો મુનિને નમીને મારે સ્થાનકે ગયે. મુનિએ અન્યત્ર વિહાર કર્યો, ત્યારથી હું વાવેગના મુકાવનારની શોધ કરાવવા લાગ્યો, તેવામાં વિદ્યાધર સેવકો દ્વારા તમને તેના છોડાવનાર જાણે હું પિતાના કાર્ય માટે તમારી પાસે આવ્યો છું.” આ પ્રમાણે તેને સર્વ વૃત્તાંત સાંભળી તે પ્રાર્થના કરે ત્યાર અગાઉ કુમારરોજ તત્કાળ બોલ્યા. કેમકે પ્રાર્થના કર્યા પછી તો કામઘટ વિગેરે અચેતન પદાર્થો પણ ઈચ્છિત વસ્તુ આપે છે. તેના પ્રાર્થના પહેલાં જ કુમાર બોલ્યા કે—“અહો ! અહા ! મારે ભાગ્યદયથી આજે બે પ્રકારનો ઉત્સવ પ્રાપ્ત થયો છે. એક તે સજજન કાર્ય કરવાથી તૃપ્ત થતો નથી, લેબી લાંચથી તૃપ્ત થતું નથી, વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy