SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ (386) જ્યાનંદ કેવળ ચરિત્ર. સૂરિના શિષ્ય શ્રી સોમસુંદર સૂરિના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા જયશ્રીના ચિહવાળા શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રને વિષે આ અગ્યારમે સર્ગ સંપૂર્ણ થયા. આ સર્ગમાં શ્રી જયાનંદને રાજ્યપ્રાપ્તિ તથા શિયળના પ્રભાવથી વિદ્યાસિદ્ધિ, યોગિનીઓને વશ કરવાપણું અને દિવ્ય શસ્ત્ર આદિક સમૃદ્ધિની પ્રાપ્તિ વિગેરે હકીક્ત આવેલી છે. ઈતિ એકાદશ સર્ગ દ્વારા સ. 12. જાંગુલિ મંત્રથી જેમ સપને સમૂહ (તેનું વિષ) નાશ પામે છે, તેમ જે પ્રભુના નામમંત્રથી પાપથી ઉદય પામેલે વિધ્રુને સમૂહ અત્યંત દૂર થાય છે, તે વૈભવ અને સુખ વિગેરે ઈચ્છિત અર્થને આપનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુ મારા સમગ્ર ભયને છેદ કરનાર થાઓ. હવે જયાનંદ રાજાએ પોતાના આત્માને કૃતાર્થ માની પિતાના નગરમાં જવા માટે વિદ્યાધરપતિ પવનવેગની પાસે રજા માગી. ત્યારે તેણે વિચાર્યું કે–“ઉપકાર કરીને કૃતાર્થ થયેલ હોવાથી પ્રત્યુપકારથી ભય પામતા આ કુમારેંદ્ર મારી કન્યાનું પાણિગ્રહણ કરવા આવશે નહીં. કહ્યું છે કે આ જગતમાં સહુરૂષોનું કહી ન શકાય તેવું કઈ અલેકિક ચિત્તનું કઠોરપણું હોય છે, કે જેથી તેઓ અન્યને ઉપકાર કયો પછી તેના પ્રત્યુપકારના ભયથી દૂર નાસી જાય છે.” . તેથી બીજા કોઈ ઉપાયથી આમને તારાપર લઈ જઈ ભાગ્યથી નૈમિત્તિકની વાવડે પ્રાપ્ત થયેલા એમને અવશ્ય કન્યાદેવી યોગ્ય છે; કેમકે જગતમાં એમના જે બીજે કે ઉત્તમ પુરૂષ જણાતું નથી. " એમ વિચારી તેણે કહ્યું કે તમે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy