SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ :- અગ્યારમે સર્ગ. (375) તમને એકલાને જ અહીં લઈ આવ્યો છું. તો હે રાજન ! જે તમારી શક્તિ હોય તે મારા પુત્રને છોડાવે અને મારા ઉપર ઉપકાર કરો. તમારા જેવાને જન્મ જગતના ઉપકારને માટેજ હોયે છે. કહ્યું છે કે— નદીઓ જળને વહે છે પણ તે પોતે જળપાન કરતી નથી, વૃક્ષે ફળને ધારણ કરે છે પણ તે પિતે ખાતા નથી, તથા ખાણો વિત્તને ઉત્પન્ન કરે છે પણ પોતે તે દ્રવ્યને ભગવતી નથી. તે પ્રમાણે સપુરૂષોની વિભૂતિ પરોપકારને માટે જ હોય છે.” તથા-સપુરૂષ પરોપકાર કરતાં પિતાને થતા કલેશને પણ ગણતા નથી. “શું વૃક્ષે પિતે તડકે રહીને પણ બીજાને છાયો આપતા નથી ?" - “હે રાજેદ્ર ! હું અતિ દુઃખી છું, અને તમે પરના દુઃખને ક્ષય કરવામાં સમર્થ છે, તેમજ દેવગથી આપણે મેળાપ થયે છે, તે હવે જેમ ઉચિત લાગે તેમ કરો.” આ પ્રમાણે તેને સર્વ વૃત્તાંત સાંભળી ઉત્સાહવડે રોમાંચિત શરીરને ધારણ કરતા કુમારરાજે વિચાર્યું કે–“બહુ સારું થયું કે મને પરોપકાર કરવાને આ અવસર મળ્યો. જેમ શૂરવીરને રણસંગ્રામ કરવાનો સમય મળે, તર્કશાસ્ત્રના વિદ્વાનને વાદીને સમાગમ મળે, કારાગૃહમાં પૂરેલાને તેમાંથી નીકળી જવાનો વખત મળે, સેવકને તેના ઈચ્છિત કાર્યમાં સ્વામીની આજ્ઞા મળે, દુકાળમાં ભૂખ્યાને દાનશાળાનું નિમંત્રણ મળે, વૈદ્યને કોઈ અત્યંત પ્લાન માણસ બોલાવે, રેગીને ઉત્તમ વૈદ્યની પ્રાપ્તિ થાય અને નિર્ધનને અપૂર્વ નિધાન મળે, તેજ પ્રમાણે મહાપુરૂષને પરોપકાર કરવાને અવસર મળે તે ઉત્સવરૂપ હોય છે. એક તરફ પરેપકારનું પુણ્ય મૂકીએ અને બીજી બાજુ બીજા સર્વ પુણ્ય મૂકીએ તે તેમાં પહેલું પુણ્ય જ અધિક થાય છે એમ દેવે કહે છે. પ્રાયે કરીને સત્પરૂ પરોપકારના પુણ્યરૂપી અન્નવડે સંવિભાગ. ( દાન ) કરવામાં કંજુસ હેતા નથી; તેથી હું એકલેજ જઈને આ પરોપકારનું કાર્ય કરીશ. જેમ પાંપણ વિગેરે ઉપકરણ નેત્રની કીકીને માત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy