SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ જયાનંદ કેવળી ચરિત્ર. પતિનો ધર્મ પાળે છે, અને બીજી કમળા શ્રાદ્ધકુળમાં જન્મેલી હોવાચી તથા સદ્દગુરૂના ઉપદેશથી જૈનધર્મ પાળે છે. પદ્માને વિનયાદિક ચણાથી યુક્ત પદત્ત નામનો પુત્ર અને ઉત્તમ રૂપવાળી જયસુંદરી નામની પુત્રી છે; અને કમળાને વિજયસુંદરી નામની એક જ પુત્રી છે. યાત્રીઓવડે લાલનપાલન કરાતી તે બન્ને પુત્રીઓ ભણવાને લાયક એવા વયને પામી, ત્યારે પદ્માએ પોતાની પુત્રી અભ્યાસને માટે મિથ્યાદષ્ટિ ઉપાધ્યાયને સેંપી. મિચ્છાદષ્ટિની મતિ મિથ્યાદૃષ્ટિમાં જ રતિ પામે છે.” તથા કમળાએ પોતાની પુત્રી જેન કળાચાયંને ભણાવવા સોંપી. એ રીતે તે બને કન્યાઓ આદરથી શાસ્ત્રને અભ્યાસ કરવા લાગી. મોટી જયસુંદરી માતાના સંગથી અને ઉપાધ્યાયના ઉપદેશથી કૈલધર્મમાં રક્ત થઈ અને બીજી વિજય સુંદરી જૈનધમ ઉપાધ્યાયના પ્રસંગથી જેનધમી થઈ. ત્યારપછી સર્વ કળાએ ભણીને તે બન્ને યુવાવસ્થાને પામી, ત્યારે અધ્યાપકોએ તેમને તેમની માતાઓને સેંપી. તે માતાઓએ પણ ઇચ્છિત પ્રીતિદાન આપીને તે બન્નેને સંતુષ્ટ ક્ય. - ત્યારપછી તે બન્ને રાણીઓએ કળાની પરીક્ષાને માટે તથા વરની ચિંતાને માટે તે બન્ને કન્યાઓને શણગારી અધ્યાપક સહિત રાજા પાસે મોકલી. તેમને આવેલી જોઈ રાજાએ નેહથી પિતાના ઉત્સંગમાં બેસાડી તથા અધ્યાપકો સાથે ઉચિત આલાપ કરી અભ્યાસને વૃત્તાંત પૂછયો. ત્યારે તેઓએ સર્વ શાસ્ત્ર અને કળાઓને અભ્યાસ કહ્યો, એટલે રાજાએ કન્યાને યોગ્ય એક સમસ્યાનું પદ આ પ્રમાણે કહ્યું “પિન્ન સુરૈવીયાડું” “સેંકડો મુખને જુએ છે.” ભાના ત્રણ પદ પૂરવાના હોવાથી પિતાની ભક્ત અને તેના ધર્મને અનુસરનારી મોટી કન્યાએ તત્કાળ તે સમસ્યા આ પ્રમાણે પૂરી કે " तुंही संकर तुंही बंभ निव, तुंहि पुरिसुत्तम ताय / तुझ पत्ताइस सब पया. पिक्सइ सुक्खसयाई / 1 // " - હે રાજ! તમે જ શંકર છે, તમે જ બલા છે અને તમે જ રૂ કવિઓ છે તમારા પ્રસારથી જ સર્વ પ્રકારે સેંકડો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy