SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ (194) જયાનંદ કેવળા ચરિત્ર. પૂર્વના પુણ્યધનની સંપત્તિવાળી સર્વ પ્રકારના સુખની શ્રેણિ તેના એકાંત સત્પષ્યની સાથે તત્કાળ પ્રાપ્ત થઈ. તેવા પ્રકારના સુખી અને ભાગ્ય તથા સાભાગ્યાદિક ગુણવાળા તેને જૈનધર્મમાં તત્પર જોઇ સર્વ કે તેનું સન્માન કરતા હતા. તેને ધર્મ જે તેના સેવક વિગેરે પણ ધમી થયા. “લેકને વિષે એજ વ્યવહાર છે કે સર્વ જનો મુખ્ય પુરૂષને જ અનુસરે છે.” પૂર્વજન્મની સંપૂર્ણ પુણ્ય સમૃદ્ધિનાં પ્રભાવથી તેના શરીરમાં કે ઘરમાં કદાપિ આપત્તિ પ્રવેશ કરવા સમર્થ જ થઈ નહીં, પરંતુ વૃક્ષ પ્રત્યે લતાઓ, સમુદ્ર * પ્રત્યે નદીઓ અને આકાશ પ્રત્યે તારાઓની જેમ તેના પ્રત્યે સર્વ સંપદાઓ સ્વયંવરાની જેમ આવી આવીને પ્રાપ્ત થઈ. લક્ષ્મી પણ જાણે તેના પર રાગવાળી થઈ હાય, આસક્ત થઈ હેય, આશ્રિત થઈ હેાય, મણિ, મંત્ર, ઔષધિ કે ચુર્ણના વેગથી વશ થઈ હોય, અત્યંત રસથી વિંધાયેલી હેય, અત્યંત દઢ વચન આપેલું હોય (વચનથી બંધાયેલી હાય), દોરડાથી બંધાયેલી હોય, સ્વાદ પામેલી હાય, સુખી થયેલી હોય, સંકેત કરેલી હોય, કામણ કરાયેલ હાય, નિયંત્રિત કરાયેલી હોય, સાંકળથી વીંટાયેલી હોય, ખીલી લીધેલી હય, જમણે હાથે કોલ આપ્યો હોય અથવા પ્રીતિવડે પાણિગ્રહણ કરાયેલી હોય તેમ તેના પુણ્યયોગથી કિંચિત પણ ક્ષીણ થયા વિના જ તેના ઘરનો ત્યાગ કરતી નહતી. સુપાત્રમાં, મિત્રને, દીનને અને યાચકને આપ્યા છતાં, પોતાના શરીર રના ભેગમાં વાપર્યા છતાં અને સ્વજનાદિકને નિરંતર આપ્યા છતાં પણ તેની લમી અધિકાધિક વૃદ્ધિ જ પામતી હતી. તેની લક્ષ્મી નદીની જેમ સર્વને ઉપકાર કરનારી અને સર્વને સુખ કરનારી થઈ, તેથી લક્ષમી આ સૂકતના વિપર્યાસને સૂચવન કરનારી થઈ પડી. તે સૂકત આ પ્રમાણે છે. " गृहकूपी कपणाना, लक्ष्मीर्व्यवहारिणां नगरसरसी / વિપુલ વિત્ત થિરા, તાંવિત્તિશાના શા” પંડિતોએ કૃપણની લક્ષમી ઘરની કુઈ જેવી કહી છે, વેપારીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy