SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમો સર્ગ. (137) શૈર્ય, ધૈર્ય, પૂર્ણ ધન એશ્વર્યને વેગ, સમગ્ર બળ (સૈન્ય) અને રાજા મિત્ર–આ સર્વ સામગ્રી છતાં પણ હરિવીર કપિપણું પામી નૃત્ય કરે છે અર્થાત્ હરિવીરને પિપણે નૃત્ય કરવું પડયું ! તેથી સમજો કે કર્મની ગતિ જ વિચિત્ર છે.” કહ્યું છે કે " यन्मनोरथगतेरगोचरो, यत्स्पृशन्ति न गिरः कवेरपि / स्वप्नवृत्तिरपि यत्र दुर्लभा, हेलयैव विदधाति कर्म तत् // " “જે મને રથની ગતિને અવિષય છે, જેને કવિની વાણી પણ સ્પર્શ કરતી નથી, અને જેમાં સ્વપ્નની વૃત્તિ પણ દુર્લભ છે, તેવું કાર્ય પણ કીડા માત્રમાં કામ કરી શકે છે.” તે કર્મનું ફળ મેં જેવી રીતે અનુભવ્યું, તેવી રીતે હું તમારી પાસે કહું છું. હે સ્વામી ! સાંભળો. કીડા કરવા માટે હું વનમાં ગયો, ત્યાંસુધીનું વૃત્તાંત તે તમે મારા સૈનિકે પાસેથી સાંભળ્યું છે. ત્યારપછીનું વૃત્તાંત હે ભૂપ! તમે સાંભળો–તે નવી પ્રિયાને સતી તથા સ્નેહવાળી ધારી મેં તેને હાથ પકડી વનમાં પ્રવેશ કર્યો. ત્યાં વારંવાર કામની ચેષ્ટા અને પ્રિય વચનવડે તે મને મેહ પમાડવા લાગી. ચંદનના સુગંધથી મિશ્ર અને મધુર મલયાચળ પર્વતના વાયુવડે તથા પાંદડાની શ્રેણિવડે નૃત્ય કરતી લતાઓ વડે મનહર અને કેયલના શબ્દવડે સુંદર એવા વૃક્ષોને જેઈ કામાતુર થયેલે હું ત્યાં ફરતો હતો, તેટલામાં કામને વશ થયેલી તેણીએ મને ગદગદ સ્વરે કહ્યું કે– હે પ્રિય ! આ રમણીય માધવીલતાના મંડપમાં આપણે ક્ષણવાર રમીએ.” તે સાંભળી મેં તેણીને સંમતિ આપી. એટલે તેણીએ પલવની શય્યા કરી, તેમાં તેણુની સાથે મેં પ્રીતિ- કે, નાસારરૂપ કામકીડાનું સુખ અનુભવ્યું. ત્યારપછી ત્યાં કેટલાક વાનરે કીડા કરતા હતા તેને જોઈ તેણીએ મને કહ્યું કે–“હે સ્વામી! જ્યારે મને પાપણને માંદગીને લીધે તમે મૂકીને ગયા, ત્યારે કેટલેક દિવસે દેવગે હું સારી થઈ, અને તમારા સંગના સુખથી ઠગાયેલી હોવાથી ખેદ પામી. તેવામાં એકદા કઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy