SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જગતનું રક્ષણ કરવાથી તેને મહાન પુણ્ય થયું છે, આથી કરી તારા સર્વ મન, રથ પુર્ણ થઈ ચંદ્ર, સુર્ય તપે ત્યાં સુધી આનંદમાં રહેજે, હે મહાશય, મને મારે ઠેકાણે નિર્વિજનપણે પહોંચાડી દે, અને મારા ભરથારની સર્વ પ્રકારે ખાતરી થાય તેમ કર. પછી ભૂપતિ, મારા ભાઈએ તેણીને ઝપાટાથી પતિગૃહે પહોંચાડી અને ફક્ત કુમાર મારી સાથે અહિં આવ્યું. સભાસહ રાજાએ વીરસેનના પરાક્રમને ચમત્કાર સાંભળી તેની તારીફ કરી તેને પોતાને ઘેર રવાના કર્યો રાજકન્યાએ પિ. તાના ખજીનામાંથી સુરપુત્રને ચંદન વગેરે શીતપચાર, હાર, ગજરા, વગેરે ગુપ્ત રીતે મેકલી પિતાને પ્રેમ દશિત કર્યો. એક દિવસે ચંદ્રશ્રી કન્યા ગૃહપવનની અંદર રમતી હતી તેવામાં, અશોક શેખર નામના બે વિદ્યાધરોએ તેને જોઈ પછી શેખર વિદ્યાધર કાંઈ કામ પ્રસંગે ત્યાંથી નીકળી ગયો ત્યારે અશેકના મનમાં ચંદ્રશ્રોના પાણિગ્રહણના વીચારે છુટવા લાગ્યા પિતાની વિદ્યાબળે કરી તે કન્યા વીરસેન ઉપર આશક્ત થઈ છે એમ સ. મજ વિમાનમાંથી ઉતરી અશેક વિદ્યારે તેણીને ઉચકી લઈ ગયે. ત્યારે સેવક જને એ માટે બુમાટે કર્યો, નગરવાસી લેક આંખ કરી જુએ છે, એટલામાં વિમાન અદૃશ્ય થયું. કરીને લઈ ગયા, જલદી રક્ષણ કર, રક્ષણ કર.” એવું બોલતી બોલતી રાજા પાસે જઈ વિજયવંતીએ સર્વ હકીકત કહી રાણીનું બોલવું સાંભળી રાજા મૂચ્છથી બેશુદ્ધ થઈ, કન્યાના દુઃખથી એકદમ ભૂમી પર પડયે ચંદ્રશ્રીના વિરહથી રાજાના સર્વાગ ગાત્રો ઢીલા પડી ગયા, અને આંખના પોપચાં મીચાઈ ગયાં. ઘણા વખત પછી રાજા શુદ્ધિપર આવી વીલાપ કરવા લાગ્યો હાય, હાય, હે પુત્રિ, હે શૃંગાર સુંદરી, તું કેવી રીતે મારી નજરે પડશે? સર્વ કળાથી યુકત, સર્વ દિશાને શુશોભિત કરનાર, અમૃત રૂપ ચંદ્રશ્રીને, રાહુ રૂપ કયા દુષ્ટ આચ્છાદિત કરી હશે રાણું પણ કહેવા લાગી, “વત્સ, ચંદ્રશ્રી, હે ગુણસુંદરી તારા વગર હું કોને જોઉં કેને સંભાળુ? અને કોને આલિંગન આપું? તારું હસવું, તારું બેલવું, રમવું ચાલવું વગેરે યાદ આવે મારૂ હ્રદય ફાટી નથી જાતું એ કેવું આશ્ચર્ય છે? * પછી પ્રજ્ઞાકરે, રાજા તથા રાણીને, ઘણુ રીતે સમજાવ્યાં ત્યારે, લેકના આ ગ્રહથી ભોજન કરી રાજા સ્વસ્થ બેઠે પછી ચંદ્રશ્રીની સખી વિલાશ્રીએ ચંદ્રશ્રી અને વીરસેનની પૂર્વે કહ્યા પ્રમાણે અરસ પરસ જડેલી પ્રીતિ, વીશેની હકીકત રાણીને કહી. કન્યાના પ્રિય વગના દુખથી રાણીને બહુ છેટું લાગ્યું, અને બેલી કે “ખરેખર અનિષ્ટનેની સંગતીના દુઃખમાં મારી પુત્રી પડી.” અનિષ્ટજનની માત્ર સંગતિ પણ સહન નથી કરી શકાતી, એના કરતાં મૃત્યુ સારૂ અગર સળગાવેલી ચીતામાં પડતું મૂકવું સારું. હે વત્સ ચંદ્રશ્રી, તને કુમારને જ આપવી એવો ફકત મારે નિશ્ચય નહોત પરંતુ તારા પિતાને પણ તેજ નિશ્ચય હતો. હે વત્સ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy