SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ આજ સુરસેનને પુત્ર, કારણ આટલું સામર્થ્ય બીજા કોઈનામાં નથી, આનું બેલ- * વું પણ તેના બાપને બોલવા પ્રમાણેજ મળતું આવે છે. હવે આપણે બોલવું શું? અગર કરવું શું? બે જણ હાથી પર બેઠા છે, અમારા તરફથી કેણ, જાણે, કોનું રક્ષણ અગર સંહાર થાય છે, નૃસિંહ રાજાને બાંધેલો સાંભળી તેના અંતઃપુરમાની શણુએ ઉંડે નિશ્વાસ નાખી કરૂણ સ્વરે રડવા લાગી. જેના કાળા વાળ આમ તેમ વીખરાઈ ગયા હતા, જેમના મેતીના હાર તુટી ગયા હતા અને મોઢાં પીળાં પડી ગએલા હતા, એવી સર્વ અિઓ ત્યાં ગઈ પોતાના પતિની આવી સ્થીતિ જોઈ તે આને કહેવા લાગી, “હે કુમાર અમારા પતિને મારી નાખીશ નહિ. અપકારી જનેપર ઉપકાર કરવો એ સાધુજનને સ્વભાવજ હોય છે. તેથી હે મહાવીર, કુમાર નૃસિંહ તારે શત્રુ હોય તે પણ તેને છોડી દે, હે રાજા, તારા જેવા ઉદાર પ્રાણિ પાસે અમારી પ્રાર્થનાઓ સફળ ન થાય તો આ દુઃખમય જગતું શી રીતે સુખી થશે? તેનો વિચાર તેજ કર. હે કુમાર, અમારે બંધુજને કઈ નથી, તું જ અમારો ભાઈ છે, સબબ અમને ભર્તીદાન આપી અમારા પર ઉપકાર કર.” . . તેમના આવાં કરૂણાવાળાં વચન સાંભળી કુમારનું મન દયાથી પીગળ્યું અને તે તેમને કહેવા લાગ્યા, “અહો કનકશ્રી આદિપ્રિયે, હા હું ખરેખર તમારો ભાઈ છું. સંસારની ઈચ્છા રાખનાર ભગીનીએ, આને મેં પ્રથમથી જ મુક્ત કર્યો છે, - કારણ કે, શત્રુ દુષ્ટ હોય તે પણ તેને ફકત કેદમાં રાખવો એજ યોગ્ય છે. પરતું મારે ભુલવું ન જોઈએ કે, મારા બાપને ક્ષત્રિના આચાર વિરૂદ્ધ આણે અપકાર કર્યો છે તે તેના વાસ્ત મારે કોઈ પ્રસંગે કાંઈ કરવું પડશે.” દૈવયોગથી . એકાદ હણે જે સહ ઉપર કાંઈ અપકાર કર્યો હોય, તે સિંહ હરણના સે કકડા કરે તે પણ થએલે અપકાર તેનાથી શીરીતે ભૂલાય એમ બોલી તે કુમારે નૃસિંહ રાજાને છોડી મુકી ધમકાવી કહ્યું કે, “હે રાજા. હું જે કહું . છું તે , સાવધપણેથી સાંભળ.” " અને ." અરે નરસિહ, સુરગ્રાસ એવા પ્રકારના શબ્દો જે આજથી . મારા કાને પડયા, તે થોડા વખત પછી તારું જે કાંઈ થવાનું છે તે હમણાજ થશે એમ યાદ .. એમ કહી સરસેનને પુત્ર હાથી ઉપરથી નીચે ઉતર્યો. આવા પ્રકારનું વીરસેનને પરાક્રમ જોઈ સુરસેન તરફના લોકોએ મનમાં નિશ્ચય કરી સર્વ જણાએ વીરસેનને આશ્રય લીધો પિતાના માણસોએ તેના માથા પર છત્ર ધર્યું. અને તેના પર ચમરીઓ ઉડવા લાગી ત્યારે તેણે તેના માણસોને પુછયું કે; “બ્રહસ્પતીને બદત્ત નામને પુત્ર કેદમાં છે કયાં છે, એ મને કહે એટલે તેને છોડાવીએ.” . . રાજપુત્રને તે લોકોએ તે જ દેખાડી. પછી તેણે મત્રિ પુત્રને તેની માતાસહ કારાગૃહમાંથી છોડી પિતાનો મિત્ર કર્યો. એક દિવસ કુમાર ત્યાં તે તેવામાં એક અત્યંત હીતકારી પ્રધાન પુરૂ તેને કહ્યું કે, “શ્રસેનને કોઈ એક . મિત્રભાશિકય નગરમાં છે. તેની આજુ બાજુ શત્રુ સૈન્યને સંપત્ત પહેરે છે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy