SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ, આ કેને પુત્ર છે આ જંગલની અંદર કેમ રહે છે, વગેરે આ કુર ની સર્વ હકીકત અમને કહી સંભળાવે. પછી કેવલી મુનીએ શુરસેન રાજાને કુમારના આગમનના છેવટ પર્યતને વૃતાંત જે હતું તેને કહી સંભળાવ્યું. | સર્વ હકીકત સાંભળીને તાપસેશ્વરના અંતઃકરણમાં આ કુમાર સંબંધી એક નવીન શક સમુદ્ર ઉત્પન્ન થયે. તે જ વખતે કુમારને આલિંગન કરનાર, મડલાચાર્યને વનદેવતાએ પુછયું કે, આ તપસ્વિએ સાથે આ કુમારને શું સંબંધ છે? પછી મુનીવયે કહેલું તેમનું ચરિત્ર સાંભળી, તાપસેશ્વરે તે સાધુપુરૂષોને વિનંતી કરી કે, ભગવન આપે જેમ મારૂં પ્રત્યક્ષ ચરિત્ર કહ્યું એજ પ્રમાણે પરલોકમાં હિતપ્રદ એવા ધર્મનું કથન કરે પછી કેવલી મુનીએ તે તપસ્વિજનોને અનુકુળ એવા ધર્મનું કથન કર્યું. કેવલી મુનીએ કરેલ ધર્મનું વિવેચન સાભળી કુલપતિ વગેરેએ જૈનદીક્ષા ગ્રહણ કરી. કુમારને શુરસેનને વૃતાંત સાંભળી મત્સર ઉત્પન્ન થયે. પછી તેણે ધર્મોપદેશ શ્રવણ કર્યો, પણ તે ધર્મગ્રહણ કરવાના હેતુથી નહિ. શુરસેનની હકીકત સાંભળી તેને બહુ ક્રોધ ઉત્પન્ન થયે. તેને શ્વાસોશ્વાસ જોરથી ચાલવા લાગે, આ જોઈ વનદેવતાએ કેવલી મુનીને પુછયું કે; “માહારાજ, આ અમારે છોકરે શત્રુને પરાભવ કરવાને સમર્થ છે કે કેમ ? તથા તેના માબાપ સાથે તેને મેલાપ થશે કે નહિ? 1 કેવલી બોલ્યા આ છોકરો શત્રુને પરાભવ કરી, તેના માબાપને પાછે બીજી વાર પિતાના દ્વીપમાં લઈ જનાર છે. વચમાં આ શુરસેનના છોકરાને ઘણું સંકટ આવશે, પરંતુ આના પૂર્વ સંચિત પુણ્યાનુંભવવડે કરીને સર્વ વિનાશ પામશે. . પછી કુમાર મેટા ક્રોધથી અને ગંભીરતાથી મુનીવર્યને નમસ્કાર કરી સભામાં થી નીકળી ગયે. અને પિતાને ઘેર જઈ વનદેવતાને પુછી, પિતાના અભિમાનનું રક્ષણ કરવા સારૂ વનમાંથી બહાર ચાલતો થયો. . તે સમયે પરાક્રમ એજ એને પરિવાર હતે, પૂર્વ સંચિત પૂણ્યના સમુદાયથી તે માટે સુશોભિત દેખાતું હતું, તે હવે નિર્જલ અને નિર્જન એવા જંગલમાં ગમે તે વનની અંદર સાત દિવસ સુધી તેણે ઉદકગ્રાશન, અગર અન્નાશન બીલકુલ કર્યું નહિ, પાણી ન પીવાથી તેનું સર્વાગ શુષ્ક થએલું દેખાતું જીભ, હોઠ અને તાળવું એ સર્વ પણ સુકાઈ ગયા હતાં. . . . . . . . . . . એક વખતે ખરા બપોરે તેના સર્વ અંગમાં બ્રીડા થઈ અને મરણું તુલ્ય થઈ ગયે. તે મહાવીર રાજપુત્ર ભૂમી ઉ૫ર મૂછિત થઈ પડશે ત્યારે તેણે આંખે મીંચી લીધી હતી, રાજપુત્રની આ અવસ્થા ધનબલ નામના ખેચરના સ્વામિએ. જોઈ રાજપુત્રનું રોલેકયમાં અભુત એવું રૂપ જે તે ખેચરને સ્વામી તેની પાસે ગમે તે શુદ્ધિમાં આવે એવા હેતુથી તે હળવે હળવે તેના શરીર પર હાથ ફેરવવા લાગ્યા. ત્યારે તેણે આંખ ઉઘાડી. પછી તેને તરસ લાગી છે એમ જાણી તે ખેચર સ્વામિ પાસેની નદીના કિનારે તેને લઈ ગયે. અને તે નદીનું પાણી તેના શરીર પર છાંટયું ત્યારે શુરસેનને પુત્ર શુદ્ધિ પર આવ્યું, અને તે વિદ્યાધરને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy