SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ લીધા, દેવ, દેવલોકમાંથી છુટી પુત્રી સ્થાને તને પ્રાપ્ત થશે. આ પ્રમાણે બેલી ઈદ્ર વાસુપૂજ્યને નમસ્કાર કરી સર્વ દેવતાસહ, અલોપ થયો. રાજાને પણ આનંદ થયો; તે છદ્રને નમસ્કાર કરી, કોઈની પણ નજરે ન પડતા પાછે પિતાની જગાએ ચાલ્યો ગયો. પછી રાજા નિશંક થઈ શાપર પડયે, થોડા વખતમાં રાત્રી વીતી ગઈ, અને સૂર્યને ઉદય થયો. બીજે દિવસે શુગારવતી રાણીને ગર્ભ રહ્યો. તેજ દિવસે, વડાણ વાયા અગાઉ, દેવ જે પ્રમાણે ઈંદ્રની સેવા કરે છે તે પ્રમાણે મોટા મોટા વીરપુરૂષે તેણીના ગર્ભની સેવા કરે છે એવું સ્વપ્ન પડયું. તેણે તેનું સ્વપ્ન રાજાને કહ્યું, રાજાને પણ તે સ્વન પિતાને પુત્ર પ્રાપ્ત થશે એમ સુચનાર્થ રૂપ લાગવાથી ઘણો આનંદ થયે. તેણુના ગર્ભના પ્રભાવથી એકવાર, બેવાર, કે ચારવાર પાણીમાં સ્નાન કરવું એમ તેનું મન થવા લાગ્યું. આજુબાજુના આરસાઓ છેડી તરવારના તીક્ષણ પાનામાં મુખકમલ જેવું એવી તે દેવીની ઈચ્છા થવા લાગી. મોટા મેટા શુરવીર પુરૂને પણ ત્રાસ આપનાર એવા સિંહના શબ્દ તેને કાને પડતા તેની સાથે પણ ચાર હાથ રમવાની (લઢાઈ કરવાની) ઈચ્છા થવા લાગી. સર્વને આનંદ આપનાર ગભ દિવસે દિવસે વૃદ્ધિગત થવા લાગ્યો. એકદમ કાંઈપણ કારણ શિવાય શત્રુના સિંહાસને હાલવા લાગ્યા, અને ક્ષણ વારમાં દ્રઢ એવા શત્રુના મુગુટે પડવા લાગ્યા. તેમના મહેલના શિખર ઉપર ઘુવડે બેશી અશુભ શબ્દ બોલવા લાગ્યા. અરે શહેરની અંદર શિયાળ, વરૂ વગેરે જનાવરે પ્રવેશ કરવા લાગ્યા. - શુભ અને ઉપર, શુભ વખત અને સારે દિવસે તેજના સમુદાયથી ભરપુર એવું પુત્રરત્ન પ્રાપ્ત થયું. - સિઓની અંદર હર્ષનો પાર રહે નહિ તેવામાં દાયણની છોકરો કલ્યાણ શ્રી રાજા પાસે ગઈ અને કહ્યું કે “રાણી સાહેબને પુત્ર રત્નને પ્રસવ થયો તેથી આ જને દિવસ માટે આનંદનો છે. તે વખતે કોઈ કારણ પરત્વે સિદ્ધચંદ્ર ત્યાં આવ્યો હતો. તે જયોતિષ શાસ્ત્રની અંદર ઘણે પ્રવિણ હતો. તે આશીર્વાદ આપી બેલ્યો કે " જે મુહુર્ત ઉપર તને પુત્ર પ્રાપ્ત થયો છે, તે ઘણુ શુભ મુહુર્ત છે તેથી કરી તારા અણધાર્યા કામો થશે.” પિતાને છેક થયે એ સાંભળી રાજાને ઘણે આનંદ થયો. તેથી તેણે પુત્ર ઉત્સવ ઘણા આનંદથી કર્યો. તે જ પ્રમાણે દરેક શહેરમાં ઉત્સવની શરૂઆત થઈ અને તેજ વખતે શત્રુઓના શહેરમાં ઉત્પાત થયે. ચારે દિશા તરફ રહેનારા રાજા લોકોએ આ ઉત્પાત સંબંધી પુછપરછ કરી તે ઉપરથી જણાયું કે “ઈદ્રિના પ્રસાદથી સૂરસેન રાજાને પેટે દેવે પુત્ર રૂપે જન્મ લીધો છે” ધર્મથી અગાર કર્મથી જે તે છોકરે જીવતો રહયો તો તમારા કુળને જડમુળથી નાશ કરશે. તમારા નગરમાં ઉત્પાત થાય છે તેનું કારણ એજ.” આ સાંભળી કેટલાક રાજામાં પરસ્પર વિરોધ હતું તે છેડી દઈ સવ જણાએ એક સંપ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy