SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પાપી છે? અરે સર્ષે ગળેલા દેડકાને છોડવવા પ્રયત્ન કર, તેમ આ સ્ત્રીને છેડવવા કોણ પ્રયત્ન કરે છે? હરિવિકમ બોલ્યો અરે, પાખંડી, ચંડાળ, તારા દર્શનથી હું અપવિત્ર થયો એમ મને લાગે છે. સકળ વિશ્વનુસાર, એવી સ્ત્રીને વધ કરવા તૈયાર થનાર પાપી, તારું હૃદય કેમ ફાટી પડતું નથી? આ પ્રમાણે કાપાલિક અને કુમારનું ભાષણ થતું હતું તે સમયે ગુરૂ શુલપાણીને હાથમાં ત્રિશૂળ લઈ ત્યાં આવેલા જોઈ સ્ત્રી ભયથી ધ્રુજવા લાગી અને મને તારે, મને તારે” બેલી કુમારને શરણે ગઈ. કુમારે છરીથી તેના બંધ છેડી તેને છુટી કરી. અને તેને પિતાની પાછળ રાખી કાપાલિકને ભેંય પર પાડો. તેના હાથ બાંધ્યા. શુલપાણીને પણ ભયપર નાંખી તેના હાથ બાંધ્યા- સિંગિજન અવધ્ય છે તેથી તેમને વધ ન કરતા, તેમના કાન માત્ર કાપી નાંખ્યા. ગૃહમાં ત્રિશુળની જવાળાને પ્રકાશ પડ હતું તેથી કુમાર અને સ્ત્રીએ અરસપરસ એક બીજાને ઓળખ્યા. પ્રથમ તે નરેદ્રપુત્રીને ભયથી કંપ થયા હતા, પણ હવે હરિવિકમના દર્શનથી, કંપ તેજ થયે પણ ભાવ માત્ર ભિન્ન હેતે હાલને કંપ પ્રેમજનિત હતા. અક૯િ૫ત અરસપરસ એક બીજાના દર્શન થયાથી, વિસ્મયથી તેમના નેત્ર વિકસિત થયા. અને બંનેએ પોતાના પુન્ય માટે અભિનંદન કર્યું. આ પ્રિયા, મરણ પામી હશે એવી સમજ થવાથી અધ્યપુરીને જે લેભ તે તેને તદન અનિષ્ટ થયું હતું, પણ હવે કન્યાના દર્શનથી તે સ્તુતિ કરવા લાગ્યો. વધારે . શું કહીએ? પણ, તેમને એક બીજાના દર્શનથી જે સુખ થયું, તેને વિલોકમાં ઉપમા આપવા જેવું બીજું સુખ નથી. વરસપર વિયોગ થયા પછી, એક બીજાના હૃદયમાં જે દુઃખમય ભાવ હતું, તેજ હવે દર્શનથી સુખમય થયે. રાજપુત્રે કન્યાને પુછ્યું કે “તું આ પાપીના હાથમાં શી રીતે આવી”? - સ્ત્રી બેલી (લજજાથી મુખ નીચું કરી) આપે મારી અવજ્ઞા કરી એમ જયારે મેં જાણ્યું, ત્યારે મૃત્યુની ઈચ્છાથી હું સમુદ્ર તીરે ગઈ અને મારા દેહને પેટીમાં નંખાવ્યું. વિદ્યારે તે પિટી સમુદ્રમાં નાંખી. પેટી સમુદ્રમાં વહેતી જતી હતી તે આ કાપાલિકે ખેંચી કાઢી મને અહીં આવ્યું. * * - કુમાર બોલ્યો તે સમુદ્રમાં કેવળ તારે આત્મા નાંખે એમ નથી પણ સકળ વિશ્વ સમુદ્રમાં નાંખ્યું જે સન્માન્ય નથી અને જે પરસપર પીડા ઉત્પન્ન કરનાર છે એવું કૃત્ય તે શા માટે કર્યું? તું બહ શાસ્ત્રજ્ઞ, દક્ષ, અને ચતુર છે. એમ છતાં તે મારૂં વિવેકયુકત અંતઃકરણ કેમ જાણ્યું નહીં ? રાજપુત્રી બેલી પ્રિયનું પ્રેમ ન હોવાથી મન. અસ્વાધિન થાય એટલે સ્ત્રીના વિવેકાદિ ગુણ નાશ પામે છે. આ વાત હવે રહેવા દે. પણ આ ભયંકર બિભત્સ, અને અનેક અનર્થ યુકત સ્મશાનમાં આપ શી રીતે આવ્યા? તે મને કહા. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy