SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ભુવન સુંદરી બોલી માતા, તે ખરૂં કહ્યું. શું થાય છે તે જોઈશ અને પછી વિચાર કરીને જે કરવાનું તે કરીશું. ચંદ્રશ્રીએ હું ચાલ, પુત્રી, આપણે ત્યાં જઈએ. માતા પુત્રી બન્ને જણ બીજી બાજુના તપાશ્રમમાં ગયા, ત્યાં કુલપતિ * આવ્યા. તે બોલ્યો “હે પુત્રી, તું દુઃખ કરીશ નહીં. કારણ સંસાર સર્વદા એજ છે. તાપસેશ્વરે તેને ઉપદેશ કરી ત્યાં તેના રક્ષણ માટે એક વૃદ્ધ તાપસીને મૂકીને, તે પિતાના મંદીરમાં ગયા. વૃદ્ધ તાપસી તેનું રક્ષણ કરતે હ, ભુવન સુંદરીનું મન અતિશય અસ્વસ્થ થવાથી તે, આનંદ માટે, વનમાં આમતેમ ફરતી હતી. હરિવિક્રમના વિરહથી તેના અંતઃકરણમાં એટલો તે સંતાપ થયો કે, તેના વિચારે મૃત્યુ તરફ જવા લાગ્યા. * એક દિવસે પ્રાતઃકાળે અનેદ્રની પૂજા કરી, તે મંદિર પાસેના બાગમાં ગઈ તેણે તાપસીને કહ્યું કે “હું ચક્ષના મંદિરમાં હમણાં જઈને આવું છું, ત્યાં સુધી તમે અહીં જ રહેજે” પછી તે બાગમાં ગઈ અને દુઃખિત હદયે બેલી કે “દુર્ભાગ્ય અને દુઃખ આપનાર અમારા શરીરના અવયવને શે ઊપગ? આ શરીર હવે મૃત્યુને સ્વાધિન કરવું એ જ સારું છે કારણે મૃત્યુ વખતે ક્ષણવાર દુઃખ થાય છે પણ તે દુઃખથી હમેશાનું દુખ આચ્છાદિત થઈ, પુર્વના દુઃખની વિસ્મૃતિ થાય છે. ! જીવતી રહું તે એક તે દુર્ભાગ્ય અને પ્રિય વિરહ-આ દુખે અંદગી સુધી હું શી રીતે સહન કરૂં? મારી માતાએ મને કહ્યું કે વિવેકી જનની બે ગતિ છે. - એક તે ઈડ લેકમાં સંપત્તીને ઉપભોગ, કિંવા પરલોકમાં મોક્ષ. ત્યારે, તે પૈકી જે અર્થે મારા પ્રિયે, મારી અવજ્ઞા, કરી, તે અર્થે લફમી તો મને પ્રાપ્ત થતી જ નથી. હવે દીક્ષા ગ્રડણ કરવી તે તે પણ અતિ વિષમ છે અને અસાધ્ય કૃત્ય છે. અનિષ્ટ અને પાપિષ્ટ એવા મારા પૂર્વ કર્મોના ઉદયથી મારી માતુશ્રીના કહેવા પ્રમાણે એક પણ હું સાધી શકીશ નહી ! આત્મવધ જો કે ‘શાસ્ત્રમાં નિષિદ્ધ છે તો પણ હવે હું દુઃખથી અત્યંત ત્રાસ પામી છું. સબબ કોઈ પણ ઉપાયથી મરણ પ્રાપ્ત કરી લઈશ. - જેને દેહ દુર્ભાગ્યથી દૂષિત થયો છે, દુર્લભ જનની સાથે જેણે નેહુ જોડે છે, અને તેને માનભંગ થયો છે એવા લોકોને દુઃખ શાંતિ માટે મૃત્યુ એજ મોટું ઔષધ છે. ફમારના વિરહથી અતિ દુઃખી થઈ મરવાનો નિશ્ચય કરી ત્વરીત ભુવન સુંદરી બાગની બહાર ગઈ ને મનમાં બોલી કે “તે કુમારે જે ઠેકાણે મારું હાથીના સંકટમાંથી રક્ષણ કર્યું હતું ત્યાં તે હાથી હશે તે ઠેકાણે જઈ ઉભી રહે, અને પછી પરમેષ્ટીનું સ્મરણ કરીને, દુઃખનું સ્થાનભૂત એવા મારા દેહને હાથી આગળ નાખી તેને ત્યાગ કરીશ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy