SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ થશે પ્રાપ્ત થયું ? યશની માટી થઈ? હું જે અપ્રિય થઈ તો પરોપકારી પ્રિયને મારા મરણ પછી, મારા ત્યાગ માટે દુઃખ નહીં થાય? હે પ્રિય. હું તને અપ્રિય હે તે પણ મારે અંગીકાર કર. તું જે ફકત મને તારે ઘેરજ રાખીશ તે પણ તેથી હું કૃતાર્થ થઈશ. કારણ રાજાને જેકે અનેક સ્ત્રીઓ હોય છે તે પણ તેનું પ્રેમ એક કિવા બે સ્ત્રીઓ પરજ હેાય છે. રાજાનું આવું વર્તન આ જગતમાં કેને માલુમ નથી? હે રાજા, તું સમસ્ત લેક જાતિને સ્વામી છું. તેથી તું મારા આનંદને કારણભૂત થયે. અને હવે હું તારી સાથે અનુરકત થઈ છું છતાં મને અત્યંત દુઃખ કેમ આપે છે?” આ પ્રમાણે તે બોલ્યાજ કરતી હતી અને કરૂણ સ્વરથી રૂદન કરતી હતી. તેના શેકથી યક્ષના બીજા સેવકને પણ શેક પ્રાપ્ત થયું. કેટલેક વખત પછી યક્ષા : પણ એકાએક જીનમંદિરમાંથી બહુાર આવી, તે વખતે ભુવનસુંદરી અને તેની આજુબાજુની સર્વ સખીઓ દુઃખી દેખાતી હતી. વિલાપ કરતી હતી. તે સર્વ જઈ યક્ષભાયા પણ દુઃખી થઈ બેલી કે “હે પુત્રિ, તું કેવળ પ્રિય માટેજ શોક શામાટે કરે છે? તેની સાથે યક્ષરાજ પણ ક્યાં ગયા છે તે સમજાતું નથી હે વત્સ, તે પિતાના સામર્થ્યને બળથી સર્વ સુરાસુરને તૃણવત્ માને છે એટલેં મારા મનમાં શંકા ઉત્પન્ન થાય છે કે, પ્રભુ જાણે કયારે શું થશે ? - પૂર્વ અધ્યારે પરીક્ષા જોવાના હેતુથી તેનું અને યક્ષનું યુદ્ધ થયું હતું તે વાતનું સ્મરણ થાય છે એટલે મનમાં કંપારી છૂટે છે. -. આ ભાષણ સાંભળી તેના દુઃખની સીમા રહી નહી ! તેને મૂછ આવી અને " તેનું ચિતન્ય આચ્છાદિત થયું. તે એકદમ ભેયપર પડી. કેટલીવાર પછી ય અનેક ઉપાયથી તેને શુદ્ધિમાં લાવ્યા. પછી તે યક્ષેશ્વરને બોલાવી મોટા સ્વરથી રડવા લાગી “હે તાત, આ વિશ્વની દયા લાવનાર, અરે તું પરદુઃખથી દુઃખિત થઈ સર્વ સેવકને છોડીને હવે કયાં ગયો ? અધન્ય અને અપુણ્ય મારી જાત માટે, મારા છંદથી, હું કલ્પવૃક્ષ તાત, તું તારે જીવ જોખમમાં નાંખે છે તે જોઈ આશ્ચર્ય થાય છે! મારા જેવા કૃમિવત જન ક્ષણમાં હજારો ઉત્પન્ન થાય છે અને મરી પણ જાય છે. પરંતુ હે પ્રિય તત, સવ વિશ્વ પર ઉપકાર કરનાર, તારા જેવા આ જગ. મા દુર્લભજ છે ! હે તાત, તમારા સિવાય, હવે મારા મસ્તકનું ચુંબન લેઈ, હાથ આગળ ધરી, મને ઉંચકી લેઈ ખેાળામાં કેણ બેસાડશે? પિતા, તમારા વિના મારા કણ લાડ પૂરા કરશે ? મારૂં લાલન પાલન કોણ કરશે ? તમારા સિવાય હું દુઃખી થએલી જોઈ તરતજ કેણ દુઃખિ થશે?” આ કમારી અને યક્ષસ્ત્રીના નાના પ્રકારના વિલાપથી સર્વ દુઃખિ થયાં સ્થીતિ કુમારીની દુખીની વાર્તા સાંભળી શેકરસથી પરિપૂર્ણ થઈ ચંદ્રથી ત્યાં ગઈ, ચંદ્રશ્રીને જોઈ ભુવન સુંદરી ઉભી થઈ અને નમસ્કાર કરી તેની પાસે બેઠી. ચંદ્રશ્રી (પુત્રીને પાસે લેઈ) પુત્રિ તું, તારા તાત માટે શોક કરીશ નહી કારણ દેવ મનુષ્યનું અગ્ય વખતે અપમાન થવા દેતો નથી. મને એમ ખબર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy