SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પડ વણે છે આ ઉપરથી તે ગર્ભવતી હોય એમ લાગે છે. તેની કાંતિ સુંદર છે. તેનું અંગકૃશ થએલું હોવા છતા તેના નેત્ર સુંદર છે. તેના સગર્ભ શરીરે કાંતિથી સર્વ દીશા ધોળી શુભ્ર દેખાય છે અને શરદ રૂતુના આલ આચ્છાદિત્ ચંદ્ર પ્રકાશ પ્રમાણે છે, એવું જોઈ તેના બને દંડ ઝાલી પર્વતના જંગલના રસ્તામાંથી તેને ઢીંગલી પ્રમાણે ઉચકી ઘેર લઈ ગયે. અને સુંવાળી ગાદી પર સુવાડી હું દૂર બેઠે, અને કહ્યું “હે વત્સ તું મલય પર્વત ઉપરથી નીચે પડી માટે ભય પામીશ નહિ. ત્યાં રહેનારો લય મેઘ નામના રાજા તને ઉચકી લાવ્યા છે, સદગુણો ઈ ગુણ લકનું અંતઃકરણ દવે છે માટે હે ગુણવની હું તને તારે ઘેર લાવ્યો છું આ તારૂ ઘર છે. હું તારો પિતા છું એમ સમજી તારું અંતઃકરણ રિથર કર. હવે તારે પ્રસૂતિકાળ તદન પાસે આવ્યું છે! તું નિઃશથ થઈ યોગ્ય સમયે તારે જે કરવું હોય તે કરજે રે ચંદ્રશ્રી બોલી–તારા ઘરમાં રહેવાથી મને લેશ માત્ર પણ ખેદ થતો નથી. કારણ તું મારું રક્ષણ કરનાર પિતા સર્વદા મારી પાસે જ છે. હે તાત, હું સંકટમાં પડી, પણ હે પુન્યશાળી, તે મારા પર દયા કરી છે. હું પર્વતપરથી નીચે પડી, તે વખતે જે તે મારું રક્ષણ કર્યું નહોત, તો હું માંસહારે પ્રાણુનું ભક્ષ થઈ પડત. મલય-હેવસે, આવા પ્રકારના ગુણ અને લક્ષણોવાળી આવા દુઃખમાં કઈ કઈ વખત પંડ છે, આ દુઃખ પુર્વ જન્મમાં કરેલા કર્મોનું ફળ હોય તો પણ સગુણના પ્રભાવથી તે વધારે વખત ટકી શકતું નથી. આ પ્રમાણે તેને આશ્વાસન આપવાથી તે વિષય થઈ. મહેલમાં આમ તેમ સ્વી હતી. સવ યક્ષસ્ત્રી તેને જોઈ ચકિત થઈ ગઈ. અને ચંદ્રગ્રીનું રૂપ જોઈ મનમાં જૂદા જુદા વિચાર કરવા લાગી. સ્ત્રી મહ મહે વાત કરતી કે “શું આ શ્રાપ ત્રણ રાણી છે કિંવા કોઈ સુંદરી છે? યક્ષ રાજા આ વિદ્યાધર વધુને તે નહીં લાવ્યો હોયને? પિતાના અદ્દભુત રૂપથી જગતને આનંદ આપનાર આ સ્ત્રી કેની હશે? તે અહીં શા માટે આવી હશે? પોતાના જેવું સાંદર્ય તેણે ત્રીલોકમાં જોયું નહીં હોય તેથી તે કદાચ કેતકથી અહીં તે નહીં આવી હોયને? દેવ ‘ત્યાદિકની સ્ત્રીના ગર્વનું હરણ કરવા તો તે અહીં આમ તેમ નહી ફરતી હોયને?” . ( આ પ્રમાણે સર્વ સ્ત્રીઓ માંહમાંહે વાતો કરતી હતી તે સમયે મેં હાથ જોડી. નેહથી તેમને કહ્યું કે “આ પતિવ્રતાને, કંઈ પણ શંકા ન લાવતાં, તમે સર્વ માતા પ્રમાણે, કુલદેવી પ્રમાણે, ગુરૂ પ્રમાણે, અને સ્વામિની પ્રમાણે માનજે, આ વીરસેનની પ્રિય ભાર્યા છે. કોઈ વિદ્યાધરે વેર લેવાના હેતુથી તેનું હરણ કર્યું છે. તે પાપણ તેને મલય પર્વતના શિખર પર લઈ ગયા હતા, અને આ દેવિના પતિત્રત્યને બળાત્કારથી ભંગ કરવા પ્રવૃત થયે હd. એ તેને દુષ્ટ હેતુ જે નિર્મળ શીલનું રક્ષણ કરવા, નિઃશંકપણે આ સાધવીએ શિખર પરથી નીચે પડતું મેર્યું. તેની પુન્યાઈથી, તે સમયે હું ત્યાં જઈ ચઢયો. અને તેને ઉંચકીને ઘણા P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy