SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ . 31 ક્રોધ અને દ્વેષ એ જે અર્થે અનર્થનું મુળ છે તે અર્થે મારૂ હરણ કરવામાં તેને ત્રીજો હેતુ ક્યાંથી હોય? કારણે સમસ્ત ભવનમાં હરણને હેતુ આ સિવાય બીજે નજ હોવો જોઈએ. મને શીલ રક્ષણ કિવા મરણ એ ઈષ્ટ છે. શીલ એજ મારું કવચ છે તો પછી, મને શું કરનાર છે? સ્ત્રી સ્વભાવને જ શોક કરે છે ! પણ હવે મારે શેક શામાટે કરવો જોઈએ? કારણે કર્મ પ્રાપ્ત જે દુઃખો છે તે શેક કરવાથી દુર થતાં નથી. પુર્વ જન્મનાં કર્મથી મને જે જે દુઃખ પ્રાપ્ત થશે તે તે સર્વ મારે સહન કરવો જોઈએ. ચંદ્રશ્રા વિચાર કરતી બેઠી હતી તે વખતે ચંડકેતુએ તેને મલયશેલના શિખર પર લઈ જઈને મૂકી. વિદ્યારે તેનું રૂપ જોતા વાતજ, તેને છોડી દીધી અને વિસ્મયથી નેત્ર પ્રફુલ્લિત કરી બોલ્યો “આ હા, આ રાણીના રૂપ જેવું ત્રીલોકમાં બીજા કોઈનું રૂપ નથી. આ રૂપવતી સ્ત્રી જેની ભાર્યા હશે તેના જન્મનું ખરેખર સાર્થક થયું છે. આકૃશ શરીરની સ્ત્રી, પોતાના બ્રધનુષ્યમાંથી છોડેલા તીણ નેત્ર કટાક્ષરૂપી બાણથી સુરા સુરને ક્ષણમાં જીતી લે છે. આકાશમાં પ્રકાશનાર સકલંક ચંદ્ર નિષ્કલંક અને પ્રકાશીતુ એના મુખચંદ્રને અવતાર છે. એનું અતિ વિસ્તીર્ણ અને જેના પર મોટા સ્તન છે એવું વક્ષસ્થળ, આકાશ પ્રમાણે વિદ્યાધર અને અમરેંદ્ર તે જગમ્ય છે એની કટી વીરસેન શય્યાથી મુક્ત થએલી હેઈ, અતિ ક્ષીણ થઈ છે. એના જંગારૂપી ખંભમાં મત્ત હાથી પ્રમાણે કામદેવે સતત વાસ કરે જણાય છે. એનું શોભાવંત જે જે અંગ હું તે તે અતિ રમણીય હેવાથી મને અત્યંત પ્રેમ ઊત્પન્ન થાય છે એનું રૂપ અતિ રમ્ય છે, સ્વભાવતઃ એ પર પુરૂષથી અત્યંત વિમુખ છે. સિવાય જૈન ધર્મને તે વિચાર કરનારી છે, ત્યારે ... તેમને શી રીતે પ્રાપ્ત થશે?” 'ચંદ્રશ્રી ( વિદ્યાધર પોતાના મનમાં મારૂં ચિંતન કરતો જોઈ )- અનુરાગ બદ્ધ થઈ મારૂં હરણ કર્યું છે, કિંવા ક્રોધથી હરણ કર્યું છે? આ કૃત્ય તે અનુરાગથી કર્યું હોય તે આ તારે પ્રયત્ન નિષ્ફળ છે. અને ધથી હરણ કર્યું હોય તે જલદી મને છોડી દે. . - ચંડકેતુ--પૂર્વે તારા પતિએ મારા પવનકેતુ નામના ભાઈને માર્યો છે એ વાતને દિવસે વહી જાય છે. માટે વેર વાળવામાં ક્ષમા ન જોઈએ, મેં તારૂં ક્રોધથી હરણ કર્યું છે ખરું, પરંતુ હે સુંદરી તને તારા પતિએ છોડી દીધી છે માટે હવે તને જોઈ મનમાંનું વેર નાશ પામે છે. જે રૂપ જેવાથી જેની બુદ્ધિ કુર છે, જે ક્રોધ ચક્ત છે, જેણે વેર ધારણ કર્યું છે. એવા જનને પણ પ્રીતિ ઉત્પન્ન થાય છે. અને તેજ રૂપનું વર્ણન વિદ્વાને કરે છે. તારૂં શીળ હું સમજુ છું. પરંતુ તારા સૌદર્યથી હું તદન મેહિત થઈ ગયો છું. તો હે પ્રિયે, ગુણાનુ રક્ત જે હું તેને જે કાંઈ કરવું હોય તે કર. ચંદ્રશ્રી બેલી અરે ખેચર તું વ્યર્થ મૂઢ થઈ ગયા છે. તેથી આવું ભાષણ વદે છે. અરે તું ગુણાનું રકત છે. એમ કહે છે. પરંતુ આવા પ્રકારથી ગુણાનું P.P.Ac. Guntainasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy