SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રશ્રીને અકલંકાખ્ય મુનીએ કહ્યું કે હે રાણિ, તું પરમાર્થ સારી રીતે જાણે છે તું વિચારશીલ છે એમ છતાં જ્યારે તને આટલું દુઃખ થાય છે ત્યારે ખરેખર તારો દેષ છે. કારણ બીજી સ્ત્રીઓ આમ કરે તો તેમને દેષ ન કાઢીએ કેમકે તે અજ્ઞાની છે. વિવેકી લોકના અંતઃકરણમાં જે અવીવેકી લોક જેવા વિચાર ઉત્પન્ન થાય તે વિવેકી અને અવિવેકીમાં અંતર શ રહ્યો.. ચંતશ્રી બેલી મહારાજ, ને એટલેજ શેક થાય છે કે મારા પ્રિય પતિએ સંન્યાસ લીધા પછી હું જીવતી શી રીતે રહીશ હે ગુરૂ મહારાજ, મને દુઃખ થાય છે તે એટલું જ. મહારાજ, મંદ ભાગી જે હોય છે તેમના મસ્તક પર ગુરૂને હાથ પડતા નથી. ગુરૂ બોલ્યા હે ચંદ્રથી, હવે તું બીલકુલ ખેદ કરીશ નહી. બહુ જનને જ્ઞાન થાય એ હેતુથી તારી દિક્ષાને હજુ થોડે ઘણે વિલંબ છે. તારા ચરિત્ર મેહનિય કર્મની હજુ શાંતિ થઈ નથી. માટે ચારિત્ર ગ્રહણ વિષયના કાળને વિલંબ ઉદ્ભવ્યું છે. હું કલ્યાણકારી ચંદ્રથી આ જન્મમાં નિર્મળ પ્રવૃતિને પ્રાપ્ત થઈ વીરસેન સાથે મોક્ષ પ્રાપ્તિ થશે. - ગુરૂનું વાકય સાંભળી ચંદ્રથી સર્વ દુઃખ ભૂલી ગઈ. અને ઘણી ભક્તિથી ગુરૂને અને માહામુનીને તેણીએ નમસ્કાર કર્યો પછી અમરસેને પણ ગુરૂને યથા શાસ્ત્ર નમસ્કાર કર્યો અને માતા પુત્ર અને નગરમાં ગયાં. પ્રઢ પ્રતાપ યુક્ત અને ન્યાયી અમરસેન, પિતા જેવું રાજ્ય કરી પ્રજાને સંતોષ આપતો હતે. ચંદ્રશ્રીના ગર્ભની કાંતિ દિવસે દિવસે વધતી ગઈ. તેને . જયારે પતિનું સ્મરણ થતું, ત્યારે ગ્રહવાસ એક કેદખાના જેવો ભાસતે હતે. પતિને વિયોગ જન્ય દુઃખથી તેને ઉષ્ણ જવર ઉત્પન્ન થયે. જવર મુક્ત કરવા કંઈ ઉપાય જ નહીં. ઠંડા પવનથી તે તે જવર રૂપી અગ્નિ વધારે પ્રજવલિત થતો હતો. શરીરે ચંદન લગાડતા ત્યારે તે, તેને વિરહ અગ્નિ અધિક દુઃસહ થતો હતે. - વિવેકી જનને પણ મેહથી દુઃખ થાય છે. જેમ વાદળાં સૂર્યને ઢાંકે છે, તેમ મેહ વિવેકને આચ્છાદિત કરે છે આથ્રથી આચ્છાદિત થએલો સૂર્ય જેમ અં. ધકારને નાશ કરે છે. તેમ મેહથી આચ્છાદિત થએલો વિવેક મેહને નાશ કરી વિપત્તીમાં ઉપકાર કરે છે. - ચંદ્રથી દુઃખથી અત્યંત વ્યાપ્ત થઈ હતી, તોપણ પુનઃ કેટલાક દિવસ પછી પતિસમાગમ થશે એવી આશા રાખી, અનેંદ્રના વચનપર વિશ્વાસ રાખી, તેણે પિતાના દુઃખનું શાંતવન કર્યું. - એક દિવસે તેને પતિને વિરહ સંતાપ બહ વધ્યો, ત્યારે પિતાના મહેલમાં, એક ઠેકાણે સુંદર પથારી પર દુઃખ કરતી સૂતી. એક દાસી તેના હાથ ચળતી હતી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy