SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિ પ્રસન્ન થયાં છે. અને નેત્ર હર્ષ આંસુથી ભરાઈ ગયાં છે, હે જીનેશ્વર તારા નેત્ર કમળના કાંતિરૂપ પાણીથી ભરેલા મુખ સરેવરના દર્શનથી જ માત્ર સંતાપને નાશ થાય છે. જેણે તારૂં દર્શન લીધું છે તેને પાપરૂપી મળ હર્ષ જળથી ધોવાઈ ગયે છે.” આ પ્રમાણે શ્રીમાન ચંદ્રપ્રભુ જીનેશ્વરની સ્તુતિ કરી તે કુમાર દેવાલયના અગ્રભાગે સ્તંભ આગળ ઉભો રહ્યો. અહિં રાજપુત્રે વીણા વગાડવામાં નિમગ્ન થએલી અલંકાર યુક્ત એક તરૂણી જોઇ તેજ પ્રમાણે દેવળના મધ્ય ભાગમાં જીનેન્દ્રની પૂજા માં લીન થએલી અને ધૂત વસ્ત્ર ધારણ કરેલી, અને જીનેશ્વરીનું અંગ લુંછતી એક બીજી તરૂણી તેણે જોઈ. જીનેન્દ્રના નિર્મળ વૃક્ષઃસ્થળમાં તેનું પ્રતિબિંબ પડયું હતું. પરમ સાધવી જાણી અને તેને પિતાના હૃદયમાંજ વાસ - આખ્યો હોયની એવું ભાસતું હતું. ચંદનાદિકથી લીપ્ત અને પુષ્પ હારથી પૂજીત ચંદ્રપ્રભુ જીનેશ્વર ક્ષીર સમુદ્ર પ્રમાણે ભતા હતા. તે પ્રભુની પૂજા કરીને સ્તોત્રથી સ્તુતિ કરી વીણું લઈ જીનેન્દ્રના ગીતે ગાતી સ્ત્રી ત્યાં બેઠી હતી. ગીત પુરૂં થયા પછી તેણે પાછળ જોયું તે મદન જેવો રાજકુમાર તેની નજરે પડશે. રાજપુત્રને જોતાં જ તેને હર્ષ સમુદ્ર ઉછળે, ભ્રમર ભારથી ઝુકી ગયેલા કમળપત્રની - શોભા હરણ કરનારને મેંથી તેણે વાંકી નજર કરી રાજપુત્ર તરફ જોયું. કોઈ દિવસ ન જોએલા રાજપુત્રને જોઈ તેના મનમાં વિકાર ઉત્પન્ન થયે. તેવી જ રીતે કુમારનાં અંતઃકરણમાં પણ અસહ્ય અનુરાગ ઉત્પન્ન થયે. રાજકુમાર મેટ શુરો હતો ખરો પણ તે સ્ત્રીના કટાક્ષરૂપી ભાલાથી તેનું ચીત્ત વીંધાઈ ગયું. રાજકુમારને જોઈ સ્ત્રી લજજીત થવાથી તે રાજકુમાર સન્મુખ ઉભી રહી શકી નહીં. અને સખીને હાથ ઝાલી દેવાલયના પાછલા ભાગમાં ગઈ. જતાં જતાં તેણે સખીને કહ્યું “હે સખી, લજ્જાથી હું કુમાર સાથે બોલી શકતી નથી, માટે તું પ્રથમ સર્વ કામો બાજુપર મૂકી આ કુમાર સંબંધી કર્તવ્ય કર, અરે, તે હાથીના સપાટામાંથી જેણે પિતાના. જીવની પરવા ન કરતાં મારું રક્ષણ કર્યું તેજ આ કુમાર છે. માટે તું બહાર જા. કુમાર સાથે વાતચીત કર અને રીત પ્રમાણે તાંબુલ, પુષ્પ તેને આપ.” સખીની આજ્ઞા સાંભળી તે તરૂણીએ એક ઉત્તમ આસન લીધું. અને સુંદ૨ જગા પર મુકયું પછી રાજપુત્ર સામુ જાઈ બોલી “મહારાજ આપ આ આસનપર બીરાજે. મારી સ્વામિની ચીત્ત દેવપૂજામાં લીન થયાથી જે અપરાધ થયો છે તે માટે કંઈ મનમાં લાવશે નહિ. - કુમારે ઉત્તર આપ્યો કે દેવપૂજા કરતી વખતે જે કંઈ થાય તેને અપરાધ કહે નહિ, અને અપરાધ હોય તો પણ તે સર્વ ધર્માચરણના તેજથી નાશ પામે છે. દેવાલયમાં પ્રભુના દર્શનથી હું પવિત્ર થયો છું હું અડુિં જમીન પરજ બેસું છું. કારણ ગુરૂ અને દેવની આગળ ગૌરવને પ્રસંગ જ નથી હેતે. - વારંવાર આગ્રહ પૂર્વક વિનંતી સાંભળી જેમ હંસ કમળપર બેસે છે તેમ તે ‘આસન પર બે. પછી તે સખીએ કર્પર મિશ્રીત તાંબુલ તે સૌજન્ય તરૂણીની ઈચ્છા - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy