SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ 27ii વૃક્ષ ઉપરથી ઉત્પન્ન થએલ, અને એલચીના ૫૯લપર નાચનાર, અને પંપાજળનું આલિંગન કરનાર એ મલયવાયુ ફેંકવા લાગે; જ્યાં વૃ, પુલને ચોંટી રહેલા ભ્રમરના યોગથી, જાણે વસંતલક્ષમીની મોટી મોટી ઈદ્ર નીલમણીની હારાવલી, ધારણા કરી હોય એ પ્રમાણે શોભવા લાગ્યા. દેવ મનુષ્યના સમૂહને જેણે લીલાથી જીતી લીધા છે. એવા મદનની જેની અંદર પૂજા થાય છે. ગંભીર રીતીથી ઉચ્ચારેલા પંચમ ધ્વનિથી મધુર ગીત જેની અંદર લોક ગાય છે, જેની અંદર કામી પુરૂષો વિષય વાંછના તૃપ્ત કરે છે, એ તે વસંતેત્સવ મને લાગે છે કે, લોકને કેવી રીતે અણગમત થાય ? મને લાગે છે (તેમને ગમવેજ જોઈએ). તે વસંત સમયમાં સુરસેન નરેંદ્રને, વીરસેને હાથ જોડી એવી વિનંતી કરી કે " જેવી રીતે તમારા આગમનથી પ્રજાજને ઉત્સુક થયા છે, તેવી જ રીતે વસંતે પણ પૃથ્વિને સંતોષ આપે છે. અને જાણે શીતજવરમાંથી મુકત થઈ કડા કરવાને ઉસુક થયા હોય એમ લાગે છે. હે ભૂપતિ, મોટા પુરૂ એ પણ લેક ચિત્તાનુસાર, વર્તન કરવું જોઈએ, નહિ તે પ્રજાની રાજા તરફ વિરકિત (અપ્રીતિ) થાય છે. માટે આ લકે કીડા વાતે ઉસુક થઈ, ઉજવલ વેષ ધારણ કરી બારણામાં ઉભા રહી, વનમાં જવા વાસ્તે તમેએ આગળ થવું એવી ઈચ્છા રાખે છે. “ઠીક છે” * એમ કહી સુરસેન રાજા હાથી પર બેસી આગળ ગયો, અને પાછળથી વીરસેન પ્રધાન મંડળી સહ ઉદ્યાન ભૂમિમાં પ્રાપ્ત થયે. સુરભૂપતિએ વીરસેનાદિ લોકોને કહ્યું. " તમે સર્વ આ કીડા કરે, હું બાગ જેતે અહિં ઉભો છું.” એમ બોલ્યા પછી . વીરસેન, બાકીના તાબાના, રાજાઓ અને વિલાસિની સ્ત્રી એમની સાથે વનમાં કીડા કરતો હતો આણું તરફ સુરરાજા પિતાના બરાબરના રાજાઓ અને ચુંગારવતી સહ ધનપુષ્પ નામના બાગમાં ફરતે હતો ત્યારે પલ્લફ નામને વનપાળ આગળ આવ્યું, અને વૃક્ષ સમુહના જુદાજુદા ખાતરે અને તેમના નામો રાજાને કહેતો હતે. હે નરદેવ વિષયમાં મનુષ્ય તણાઈ જાય છે એમાં નવાઈ નથી પરંતુ એકેદ્રિય એવા આ વૃક્ષોને પણ વિષયે જીતી લીધા છે, એ માટે આશ્ચર્ય છે. કેટલાક ક્ષે સ્પર્શથી. કેટલાક રસોથી, કેટલાક ગંધથી, કેટલાક રૂપથી અને કેટલાક શબ્દોથી પુષ્ટ થાય છે. રાજનું આપની પાસે જ આ કાંટા સળીયાનું ઝાડ છે તે જુઓ. તે તવંગીના પુષ્ટ ઉન્નત એવા સ્તનના સ્પર્શથી ઘડીવારમાં પુષિત થયું છે. મહારાજ, વૃક્ષોમાં રમણીય એવું આ અશકક્ષમાં તરૂણીના પાદતાડનથી સંતુષ્ટ થઈ તેના પલ્લ પ્રસરવા લાગ્યા છે. રાજે આશ્ચર્યની વાત છે કે આ સર્વ બોરસલ્લીના ક્ષે છે, તેના પર સ્ત્રી મયના કોગળા ભરી નાખે તેજ તે પુષ્ટ થાય છે, તે વગર તેઓ પુષ્ટ થતા નથી. આ રાજચંપક વૃક્ષને, સુંગધદકનું સિચન કરી ગંધ મળે, ત્યારે તેમનું ખાતર પુરૂ થઈ તેઓ ફેલાવા પામે છે. સ્ત્રિના કટાક્ષથી જે સારે ખીલે છે એમ કહે છે) આ તિલક વૃક્ષવિષમ એવા સ્ત્રીના નયનબાણે, ઝાડે પર પણ ફેગટ જતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy