SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ 193 - સ્ત્રીએ મનમાં એ વિચાર કર્યો કે, અંહિ કઈ પણ પુરૂને પ્રવેશ થાય નહિ, તો આ કોઈ પણ રાક્ષસ, ભૂત, અગર પિશાચ હવે જોઈએ. જે આ મને પાપિણીને ખાઈ નાખશે તે તેનું કલ્યાણ થશે, એજ વિચાર કરી તે મોટેથી બોલી, “અરે રાક્ષસ, તું મને જલદી ખાઈજા. વણિકપુત્ર–હું ભુત નથી, અગર રાક્ષસ નથી. પરંતુ મનુષ્ય છું. (ઉજજઇનીમાં રહેનાર વાણિયાને પુત્ર) પ્રથમ શ્રી વર્ધનપુરમાં, અને પછી કટાહદ્વિપમાં ગયો હતો અને ત્યાં રત્ન વિશેષ છે એમ જાણું આવ્યો છું. હું ઉજજઈનીનો રહેનાર” એટલા વાકયે સાંભળતાજ એકદમ તેણે પોતાના મહેપરનું લુગડું કાઢયું અને રૂપ અને લાવણ્યથી સુંદર એ વાતે અભયચંદ્રને જે, ત્યારે બાલ કમદિની પ્રમાણે તેનું મુખ પ્રફુલ્લિત થયું પિતાના સાંદર્યથી ઘણાને જીતી લે એવી તે સ્ત્રીને અભયચંદ્ર જોઈ, ત્યારે તેની આંખો આનંદાશ્રી જલથી ભરાઈ આવી આજ તે ગુણચંદ્રની કન્યા જયશ્રી શું? દૈવયોગથી ગમે તેવી રીતે તેને મેળાપ અંહિ થશે શું ? અથવા જે રાજાના પ્રાણથી પણ અધિક પ્રિય તેને આ બેટમાં અને સમુદ્રમાં આવવાનો સંભવ કયાંથી? અથવા નિશ્ચય રહિત એવા ઘણું વિચારે કરવામાં શો લાભ છે? આને જ પૂછીએ એટલે તે મારી શંકાનુ નિવારણ કરશે “ખરું કહે ડર રાખીશ નડ” એ પ્રમાણે અભયચંદ્ર બોલ્યા પછી તે બેલી, “હે ડાહ્યા મનુષ્ય હું પણ ઉજજયની નગરીમાંજ રહેનારી છું. આગળ ઉભેલ મનુષ્ય તેજ કે ? અગર તેના જેવા બીજે કઈ છે? એવા હર્ષથી અને દિલગીરીથી કરી તે સ્ત્રીએ મન ધારણ કર્યું. બીક દેખાડીને બોલવાથી પણ સ્ત્રી કે પુરૂષ સામે બોલવાને શરમાય છે અને કુળવાન સ્ત્રી તે પરપુરૂષ સાથે બોલતી જ નથી. ઈત્યાદિ વિચારોથી તે દિલગીર થઈ પિતાની ભૂખચર્યા સંતાડી દીધી. : ' . ' ' અભયચંદ્ર–કૃશદરિ, આજ રાતરે અમારા વહાણે જવાના છે, તે ચાલ, તને ઉજજઈની નગરીમાં લઈ જઈશું ગુણચંદ્ર રાજાની કન્યા જયશ્રી તે નથી? તેણે “તેજ હુ” એમ બોલ્યા પછી વણિક પુત્ર ફરીથી બ. હું ધનદેવ શેઠને પુત્ર છું, મારું નામ અભયચંદ્ર છે. હું અંહિ વેપાર અર્થે આવેલું છું, મને તું ઓળખતી નથી કે શું? . પરસ્પરની બરાબર નિશાની મળી નિશ્ચય થયા પછી, તે બન્નેને એ ઠેકાણે વિસ્મયાનંદથી ઘણા વિચારે ઉત્પન્ન થયા પછી અભયચંદ્ર પુછ્યું કે “તારું અહિં આવવું કેવી રીતે થયું ?" તેણે ઉત્તર આપે. “ઘેર સુતેલી હતી તેવામાં વિધાધર મને ઉચકી અંહિ લાવ્યું છે. અંહિ આણી પોતાની વિદ્યાવર્ડનિર્માણ કરેલા આ મહેલની અંદર રાખી તે વિદ્યાધર લગ્નની તૈયારી કરવા સારૂ ગએલો છે. તે પાપી વિદ્યાધર હરએક પ્રયત્નથી અંહિ આવશે તે તે દુષ્ટાત્મા તને અને મને બનેને ખાસ અપકાર કરશે. તને ફક્ત માન્ય કરવા સારૂજ હું રહેલી છું તે મને જે કાંઈ પ્રાપ્ત થએલું છે તે થાઓ, પરંતુ પ્રિય દુર્લભ એવા તમને જરા પણ વિન ન પડવું જોઈએ.” અભયચંદ્ર–ભદ્રા, વેગથી ચાલ તરતજ આપણે જળમાર્ગથી ચાલતા થઈશું. 25 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy