SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ 161 હતા તેઓ પણ આ વખત સાધી, તેમનાથી થાય એટલું નુકશાન કરવા લાગ્યા. રાજાએ દુષ્ટ હકમ આપેલ, એવા કેટલાક વેશ્યાના મિત્રજને, તેણીના ઉપરના લાંબા વખતના પ્રેમને લીધે, શરમમાં પડી ફક્ત મેઢેથીજ મોટેથી બુમો પાડતા હતા પરંતુ તેણીના ઉપર દૃઢ પ્રીતિ રાખનાર, કોઈ એક માણસ, તેણીના વિશે પિતાનું દુઃખ પ્રગટ કરી તેનું મન ખુશ રાખવા સારૂં યત્ન કરતા હતા. હર, હર, વીરસેનના ઉપરની રીસથી બીચારી વેશ્યાનું નુકશાન કર્યું, એ રાજાએ અયોગ્ય કૃત્ય કર્યું છે, એ પ્રમાણે કેટલાક નગરના લોકો શોક કરતા હતા. સારાંશ કે ચેર છે, અગર શાહ હે, શત્રુ હે અગર વિદેશી હે, તે સર્વ લોકને રહેવાનું ઠેકાણું તે વેશ્યાજ હતી એમ લોકે બોલતા હતા તેવામાં જય પતાકાના ઘરમાંથી સવ ચીજો લઈ ગયા ત્યારે તે ઘરની અસ્વસ્થા ચેરના પ્રમાણે થઈ. પછી દ્ધા એ એજ માથાના વાળઝાલી તેને દીન સ્વરથી રડતી રડતી, ઘરમાંથી બહાર ખેંચી. કાઢી. રાજ પુરૂ, નગરના લોકેના દેખતાં રસ્તા પર તેને અપમાન ભરેલા વાક બેલવા લાગ્યા “હર હર, નિર્લજજ, તું જ કૃતજ્ઞ સ્ત્રીઓની ઉપરી, તે આવાજ પ્રકારની રાજાની કૃપાને ચગ્ય એવુ કૃત્ય કરેલું છે. જે, દુષ્ટને, પ્રથમ કેઈ દિવસ નજોયેલે તે તારો પ્યાર થયો અને નરસિંહરાજામાં તને એક પણ ગુણ દેખાય નહિં ? જે તે ખરેખર વીર છે. તે તેની અતિશય વહાલી એવી જે તું, તેને નરેંદ્ર મારતો છતાં, આવીને કેમ છોડાવતે નથી?” આવા દુષ્ટ ભાષણો શ્રવણ કરવાથી હઠ આવેશથી ફફડવા લાગ્યા અને તે મનમાં બોલ્યા, “મેં પ્રથમજ અનુમાનથી નિશ્ચિત કર્યું હતું કે, જયપતાકાનું આ સઘલું નુકસાન ખરે. ખર મારા વડેજ થવાનું છે. હવે આને અટકાવ શ કરે? હું એકલે છું ત્યારે હવે આ યોદ્ધાઓનો સમુદાય મારાખડગની અંદર રહેનાર અતિથિ થાઓ. અથ વા આયોગ્ય નથી એવા હુકમોના ચાકરે અને સ્ત્રીયોમાં પરાક્રમ મેળવનારને મારવા મને એગ્ય નથી. અગર મને એમ લાગે છે કે આ રાજાને સૈન્ય સરજામ સાથે એકદમ ઉપર ઉચકીલેઈ સર્વને પાતાળની અંદર નાખી દેવા. હશે, હવે પ્રથમ તેઓ આવેશ્યાને શું કરે છે તે જોઈએ.” આ પ્રમાણે વિરસેન વિચાર કરે છે એટલામાં યોદ્ધાઓ વેશ્યાને રાજા પાસે લઈ ગયા. રાજમહેલમાં રાજા સામે તેને ઉભી રાખીને તેઓએ પ્રાર્થના કરી, “મહારાજ આનું જે જે કાંઈ હતું તે સર્વ ખજાનામાં લાવી નાખ્યું છે. હેરાજા તેને પણ તારી પાસે લાવી હાજર કરી છે તે મહારાજા આપ પિતે આ વેશ્યાને જે યોગ્ય લાગે તેમ કરશે” ત્યારે ક્રોધથી હેઠચાવી રાજા બેલ્યો “અરે પેલા અધમ જોશીને પણ જલદી અંહિ લેઈઆવો” હુકમ થતાંજ રાજપુરૂષોએ જોશીના હાથ, બાંધીને ચાકરે મારતા મારતા તેને રાજા પાસે લઈ ગયા. અને તેને પણ જ્યપતાકા સાથે ઉભો રાખે, રાજાએ શીતરફ કર નજરથી જોયું. આણતરફ કુમાર પણ ખડગના પ્રતાપ થી આકાશમાં અદ્રશ્યરહી દાંત હોઠ દાબી નરેંદ્રનું કૃત્ય જેતે હતે નરસિંહરાજાએ જોશીને પુછયું કે 22 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy