SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ આપણી સાથે વર્તે છે. ઘાતકી અને કુર ને સર્વ જગતુ શત્રુ સમ ભાસે છે, અને નિષ્કપટ મનવાળા પુરૂષને તેજ જગત્ પિતાના કુટુંબના માણસો જેવું લાગે છે. આનું ખરાબ કર્યું હશે, માટે જ આ મારૂં ખરાબ કરવા તૈયાર થયે છે, અને લોકપણ વિના કારણ શત્રુ કરી લેતા નથી. “હમેશા ખેદ રહિત રહેવું એમ મારા ગુરૂએ મને કહેલું હોવાથી, તે વાત દયાનમાં રાખી, મારાપર ગુજરેલા સર્વ પ્રસંગે ખેદ રહિત મારે સહન કરવા જોઈએ. હશે, હવે આવા વિચારે બસ થયા, સંકટ સમુદ્રમાંથી તારનાર નમસ્કાર મહામંત્ર સિવાય બીજા કોઈનું ચિંતન મારે જોઈએ નહિ.” - આ પ્રમાણે વિચાર કરે છે એટલામાં તે વિદ્યાધરે ( પવનકેતુએ ) પિતાની , વિદ્યાના બળથી તે છોકરાને સમુદ્રના પાણીમાં ફેંકી દીધું. તેને ઘણુજ બેંગથી ફેંકેલ હોવાથી, તે છોકરે સમુદ્રના તળીએ જઈ પછડાયે, પરંતુ નવકાર મંત્રના પ્રભાવવડે તેના શરીરે, પાણી જરા પણ અડકયું નહિ. પછી તે છોકરોએ સમુદ્રના તળીએ સ્વસ્થ બેશીને જોયું તે એક સ્ફટિકમય રાજ મહેલ તેની નજરે પડયે - ત્યારે તે વીર આશ્ચર્યથી મનમાં વિચાર કર્યો કે, “આ ચમત્કાર પૂર્વે મેં કઈ વખતે જે નથી. હા, આ મહેલ સમુદ્રની અંદર હાઈ અને પાણીને સ્પર્શ સરખો થએલે નથી. મારી નજરે જે જે કાંઈ દેખાય છે, એની સંભવનાજ અશકય છે.” એમ બેલી આગળ જોયું તે, એક વૃદ્ધ સ્ત્રી હાથમાં ઢાલ તરવાર લઈ બારણામાં ઉભેલી જોવામાં આવી. તેને જોઈને જ તે છોકરાના મનને આનંદ થયે અને તે મનમાં બોલ્યો કે “આને જ આપણે આ મહેલનું નામ, રૂ૫ વગેરેની માહીતિ પુછી જોઈશું.” એકદમ તેના મનની અંદર હર્ષ થઈ જમણું તેની આંખ ફરકવા લાગી. ત્યારે આવા શુભ શુકનથી તેના મનમાં ઉમેદ આવી, તે મહેલ પાસે ગયે અને બેલ્યો; “વૃદ્ધ માતુશ્રી, મારા નમસ્કારને સ્વિકાર કરે આવી વૃદ્ધ વસ્થામાં હાથમાં તરવાર ઝાલવાનું શું કારણ છે? ધર્મ કવચ ધારણ કરી સંતેષના ફળોએ વેષ્ટિત થઈ, ક્ષમા ખર્ષના પ્રહારથી દુષ્કમ શત્રુને નાશ કરે.” - પેલી વદ્ધ સ્ત્રીએ આ તેનું બેલવું સાંભળી પ્રથમ આશીર્વાદ આપે, અને પછી તેને બોલી, “છોકરા, તારું કહેવું બરાબર છે તેમાં કાંઈ પણ શક નથી. પરંતુ તાબેદાર મનુષ્યના હાથથી ધર્મ (સ્થાપિત) થતું નથી. આ છોકરે--આ અદ્દભૂત મહેલ કોને છે ? અને આ સમુદ્રના મકાનની અંદર કેણ? કેવી રીતે રહે છે? અને તેના ભયથી તું હાથમાં ઢાલ તરવાર લેઈ ઉભી છે ? ત્યારે વૃદ્ધ સ્ત્રીએ આંખમાં આંસુ લાવી મેટો શ્વાસ નાખી કહ્યું. “છોકરા શું કહું? તને જોઈને જ મને હવે સંતોષ થયે છે તે છે ઉપકાર કરનાર, હું કહું છું તે તું સાંભળ. વૃદ્ધ સ્ત્રી—-ઉત્તરના પ્રદેશમાં ગગનશેખર નગરમાં ચિત્રગતિ નામને એક . માહાધનવાન રાજા હતો. તેને ભાનુમતી નામની એક સ્ત્રી હતી. અને અશેક નામને પુત્ર હતું, તે સર્વ કામમાં પ્રવીણ હતા. તે આમ તેમ ફરે ફરતે ઉત્તમ P.P.AC. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy