SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 95 છે એટલામાં, બે ચારણ રૂષિ પુષ્કર વિમાનમાંથી તે ઠેકાણે ઉતર્યા. શાંતિનાથ જીનેશ્વરને ત્રણ ફેરા ફરી, અને વંદન કરી, અશોક ઝાડના મુળ આગળ તે બે જેણા બેઠા પછી કુમારે તે બે મહા મુનીને મોટા પ્રેમથી નમન કર્યા પછી, મુનીએ તેને ધર્મ આશીર્વાદ આપે, અને ધર્મની વાત કહેવાની શરૂવાત કરી. ' કુમારે તે બે મહિષીને પ્રશ્ન કર્યો કે, “મહારાજ, આ મંદીર અને ગોળાકાર મોટું સરોવર કોણે કરાવ્યું છે તે મને કહો. તે બન્ને મુનીને કુમારે આ પ્રશ્ન કર્યાથી તે બેમાંથી વૃદ્ધ મુનીએ તેને ટુંકામાં હકિકત કહી. : : ' : - + હે સુજ્ઞ શ્રાવક, આ પરમ આનંદ આપનારી મંદીરની ઊત્પત્તીની કથા હું તને કહું છું, તે તું હવે એક ચિત્તથી શ્રવણ કર. આ ભૂમિતળ ઉપર જીનેશ્વરની વાણી પ્રમાણે, બહુ પ્રાણિયેના વિચારથી પણ જાણવાને અશક્ય એવું વિદ્યા નામનું મોટું જંગલ છે. જે અરણ્યમાં ઝાડે, મુની પ્રમાણે હમેશાં ટાઢ તડકે સહન કરી, પિતાની છાયા, સુમનથી, રમણીય થઈ ત્યાં વનવાશી થઈ રહ્યા છે. ત્યાં કઈ એક વડના ઝાડ ઉપર, ઘણા પિપટ, સ્ત્રી, પુત્ર, પત્ર ઈત્યાદી સહ સુખથી રહે છે. તે દીવસે જંગલની અંદર ફરી, પિતાને મનગમતો ખેરાક ખાય છે, અને સાંજ પડી એટલે તે ઝાડ ઉપર આવી ત્યાં સંતાઈ રહે છે. તે પિોપટની અંદર વૃદ્ધાવસ્થાથી જીર્ણ થએલ, અને બહુ ગુણથી સુશોભિત એ એક પિોપટ પોતાની સ્ત્રી સંહ રહેતું હતું, તેને બે પુત્ર હતા, તે રાજશુક એટલે રાજકુળની અંદર શેભે એવા પોપટ હતા. કારણ તેમના ગાત્રો કમળ, ચાંચ મૃદુ અને પાંખે સુક્ષ્મ અને નીલવર્ણની હતી. કોઈ એક દિવસે તેમના માબાપ દુર ગયેલા હશે, એવામાં તે બંને પિપટ પાસેના એક ભીલના ડાંગરના ખેતરમાં ગયા કે તે ભલે તેઓને જાળ નાં ખીને ઝાલી લીધાં, અને સુલક્ષણના જાણી તે બંને પોપટને પીંજરાની અંદર નાખ્યા. ત્યાં એક ભદ્ર નામક માટે વેપારી ગયો તેણે તે પિપટ ગુણવાન જાણુ ભીલ પાસેથી વેચાતા લીધા. તે ભદ્ર અતિશય કોતકથી તેમને જે જે * શીખવાડે છે તે જાણે પ્રથમથી જ પાઠ કર્યું હોય તે પ્રમાણે તેઓ બેલી દેખાડે. તે મનમાનિતા પિપટનું પુત્ર પ્રમાણે પાલણ પિષણ કરતો જલદીથી રત્નપુર વગરની અંદર આવી પહોંચે ત્યાં મહાપ્રતાપી રત્નશેખર નામનો રાજા હતો અને ગુણ રત્નોથી સુશોભિત એવી રત્નાવતી નામની તેને રાણી હતી. ભટ્ટે તે રાજાને અપૂર્વ વસ્તુઓ આપી સુખી કર્યો હતો. તેથી તે વાણીઓ જે જણશે વેચે અગર ખરીદ કરે તેના ઉપરની જકાત માફ કરી હતી. એક દીવસે રાજાએ કાંઈ કામ પ્રસંગે પિતાના માણસને ભદ્રને ઘેર મોકલેલ, ત્યાં તે રાજ પુરૂષે તે બે પોપટને દીઠા. પિપટ સ્પષ્ટ બેલે છે એવું જોઈ રાજા પાસે તે હકીકત કહી ત્યારે રાજાએ ભદ્રને બોલાવી મોટા માનથી તેની પાસે તે પોપટની માગણી કરી. ' આ ભદ્રે કહ્યું રાજેદ્ર તારા વચનનું અપમાન મારાથી કોઈ દિવસ થશે નહિ, અને આ બે પિપટ મને તો પ્રાણ કરતાં પણ વધારે છે. '. આ પ્રમાણે (એક તરફ કુવે, અને બીજી તરફ વાવ) સંકટ આવ્યાથી ભદ્દે નાહને, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy