SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્રમાં સર્વ બાહ્ય મંડળે ૩૩૦ યોજન જાય છે અને પશ્ચિમ બાજુએ પણ લવણસમુદ્રમાં તે જ પ્રમાણે ૩૩૦ એજન જાય છે. બન્ને બાજુના મળી ૬૬૦ ચાજન થાય તે લાખ યેજનમાં ભેળવવાથી ૧૦૮૬૬૦ એજન પરસ્પર બે સૂર્યનું તેમજ બે ચંદ્રનું આત્યંતર આંતરૂં થાય છે. ચંદ્રના ૧૫ માંડલા છે, તેને માંડલાના પ્રમાણભૂત ૫૬ ભાગે ગુણીએ ત્યારે ૮૪૦ આવે. તેને ૨૧વડે ભાગતાં ભાગમાં ૧૩ આવે. બાકી એકસઠીયા ૪૭ અંશ શેષ રહે. હવે ચારક્ષેત્રમાંથી એટલે પ૧૦ એજન દૂર ભાગમાંથી ૧૩ જન 3 ભાગ બાદ કરીએ ત્યારે ૪૭ જન : ભાગ બાકી વધે. તેને ૧૪ આંતરાવડે ભાગીએ ત્યારે ૩૫ પેજન આપે, ઉપરાંત દૂર ભાગે રહે. તેના અંશ કરવા માટે ૬૧ વડે ગુણતાં ૪ર૭ થાય. તેમાં ઉપરને વધેલ ૧ અંશ ભેળવવાથી ૪૨૮ થાય. તેને ૧૪ વડે ભાગતાં ૩૦ અંશ આવે બાકી ૮ વધે. તેને ૭ વડે ગુણતાં પ૬ થાય. તેને ૧૪ વડે ભાગીએ તે ભાગમાં સાતીયા ચાર ભાગ આવે. આટલું ચંદ્રના દરેક માંડલાનું અંતર એક બાજુનું છે, તેને બમણું કરતાં યેજન ૭૦-૬૦ ભાગ અને ૮ અંશ થાય, હવે ૮ અંશમાંથી ૭ અંશને ૧ ભાગ ૬૦ ભાગમાં નાંખવાથી ૬૧ ભાગ થાય તે એક એજન રૂપ હોવાથી ૭૧ યાજન થાય અને ઉપર સાતી 1 અંશ રહે. એક ચંદ્રનું પ૬ ભાગનું માંડલાનું પ્રમાણ બીજા ચંદ્રનું પણ ૫૬ ભાગનું બન્ને મેળવતાં ૧૧૨ ભાગ થાય. તેને ૬૧ વડે ભાગતાં ૧ યેાજન ને ૫૧ ભાગ વધે. તે ૧ યેાજન ઉપરના ૭૧માં નાંખવાથી ૭૨ જન અને ૨ ભાગ તથા ૩ અંશ. આટલી ચંદ્રના માંડલે માંડલે વિષ્કભમાં વૃદ્ધિ જાણવી. સૂર્યના માંડલા ૧૮૪ છે. એક સૂર્યના માંડલાનું પ્રમાણ : ભાગનું છે તેમ જ બીજા સુર્યના મંડળનું પણ પ્રમાણ { ભાગનું છે. હવે ૧૮૪ ને ૪૮ વડે ગુણવા તો ૮૮૩૨ આવે તેને ૬૧ વડે ભાગતાં ૧૪૪ જન : ભાગ વધે. હવે ચારક્ષેત્રના ૫૧૦ એજન ૪૬ ભાગ છે તેમાંથી ૧૪૪ જનને ; ભાગ બાદ કરીએ ત્યારે ૩૬૬ યેાજન રહે. તેને ૧૮૩ આંતરવડે ભાગ દેતાં ભાગમાં ૨ યજન આવે. તેમ જ બીજી દિશાના તે જ પ્રમાણે ૨ યજન આવે. કુલ ૪ જન થાય. હવે બે સૂર્યનું જે ૪૮–૪૮ ભાગનું માંડલું છે તે બન્ને મેળવતાં ૯૬ થાય તેને ૬૧ વડે ભાગ દેતાં ૧ જન : ભાગ આવે. તે ઉપરના ૪ ભેજનમાં ભેળવતાં ૫ જન : ભાગની સૂર્યના માંડલે માંડલે વિધ્વંભમાં વૃદ્ધિ કરવી. અને તે ૫ પેજન અને ૩૫ ભાગની પરિધિ ૧૭ જન અને ૩ ભાગ થાય. એટલે દરેક માંડલાની પરિધિમાં વધારો કરવો. સૂર્ય અને ચંદ્રના મંડળની પરિધિના યંત્રમાં અમે જે આંક મૂક્યા છે તે પહેલેથી છેલ્લા મંડળ સુધીની આત્યંતર પરિધિના સમજવા. એટલે કે છેલ્લા મંડળના વિધ્વંભમાં સૂર્યની બે બાજુના મળીને ૯૬ ભાગ અને ચંદ્રના ૧૧૨ ભાગ વધારવા. તે પ્રમાણમાં પરિધિ પણ વધારવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035315
Book TitleBruhat Sangrahanine Ange Karwama Aavela Anek Yantrono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJethalal Haribhai Shastri
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy