SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાનમાં શારીરિક જુસ્સો વધારે કામ કરે છે. ગુસ્સો અને જુસ્સો ચઢી આવતાં તેમને વાર ન લાગે. એક્તા તેમનામાં અદ્ભુત છે અને ચાલાકી તથા આવડતથી તેઓ પોતાની સંસ્થાને વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સિખ કેમ કેટલી જમ્બર છે એ તેમના સત્યાગ્રહ” થી જાહેર થઈ ચુકયું છે. હિન્દુઓનું કલેવર બહુ મહેાયું છે અને એમાં હેટા ડેટા સમર્થ વિદ્વાને, દેશનેતાઓ, વિરે અને ઉંચા ઉંચા અધિકારી-એફસરે છે. તેઓ આખા હિંદમાં સર્વત્ર પથરાયેલા છે. આર્યસમાજ પણ તેમનું એક અંગજ ગણાય. પારસી કેમ ભલે ન્હાની હોય, પણ તે બહુ લાગવગવાળી કેમ છે. ઉંચી ઉચી લાઈન પર તેઓ પહોંચેલા છે. એજ્યુકેશનનો વિસ્તાર તેમનામાં બહુ છે. અને તેઓ ઉંચા પિઝિશનના સ્ટેજ ઉપર છે. પરોપકારી સખાવત કરવામાં તેઓ ઉંચો નંબર ધરાવે છે. આ બધું જોતાં જેને કયાં ઉભા છે એ વિચાર હદયમાં બહુ ગ્લાનિ ઉપજાવે છે. જેનેની દયા લીલતરી–સુકવણુમાં આવીને સમાણું છે, એવા આક્ષેપ ખેદની સાથે સાંભળવા પડે છે. પણ એટલું તો કહેવું પડશે કે–જાતિ બંધુઓને સહાયતા કરવાની ઉદાર ભાવના જેમાં ઓછી દેખાય છે. જ્યાં આવી સ્થિતિ હોય, તે સમાજ કદી આગળ ન વધી શકે. સમાજની પડતીમાં ધર્મની પડતી થાય. સમાજની ખીલવણમાંજ ધર્મની ખીલવણું છે. ધર્મક્ષેત્રનો ચળકાટ સમાજના ચળકાટ ઉપર અવલંબિત છે. શ્રાવક-શ્રાવિકાઓ હદ-પુષ્ટ અને સુખ-સમ્પન્ન હોય તે ધર્મ–ક્ષેત્રની પણ ઉન્નતિ થઈ શકે. વાસ્તવમાં, શ્રાવક-શ્રાવિકા-વર્ગ એ શેષ ધર્મ ક્ષેત્રોનું મૂળ છે, કેમકે તે વર્ગમાંથી તે ક્ષેત્રોને પ્રાદુર્ભાવ થાય છે. [ ૧૭ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035308
Book TitleVeer Dharmno Dhandhero
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherVijaydharm Prakashak Sabha
Publication Year1927
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy