________________
નથી. તેવાઓના જન્મની પાછળ મહાન ભેદભર્યુ. રહસ્ય છુપાયતુ હોય છે. જે સમયમાં મહાવીર જન્મ્યા હતા, તે સમયની ભારતવર્ષની સ્થિતિ
બહુ વિચિત્ર હતી. તે વખતે ભારતવમાં વિષમતા, અંધશ્રદ્ધા, પશુબલિ અને સામ્પ્રદાયિક ઝઘડા પૂરજોશથી ફેલાયા હતા; અને એથી તત્કાલીન પ્રજામાં એટલી બધી અશાન્તિ પ્રસરેલી હતી કે— “ ચા ચાદિ ધર્મ * * ' એ વાક્ય પ્રમાણે તે વખતે એક સમર્થ ઉદ્ધારક પુરૂષના અવતારની પરમ આવશ્યકતા હતી. મહાવીરનું કાર્ય ક્ષેત્ર એ આવશ્યકતાને પૂરણ કરવાનું હતું. દુનિયાના દારૂણ આર્ત્તનાદે મહાવીરને વિષય-વિલાસથી વિરક્ત અનાવ્યા હતા. અને એ વિરક્ત પ્રભુ એજ શેાધમાં હતા કે દુનિયાના કરૂણ કાલાહલ કેમ શાન્ત થાય અને જગતના જીવાને સુખના ખરે। માર્ગ કેવી રીતે સાંપડે.
મહાવીરને એ દૃઢ સંકલ્પ હતા કે માતા-પિતાની હયાતી સુષી દીક્ષા ગ્રહણ ન કરવી. આવેા સંકલ્પ કરવામાં તેમણે એ કારણ જોયું હતુ કે તેમની ઉપર તેમના માતા-પિતાની અસીમ સ્નેહ-લાગણી હતી. દરેક માતા-પિતાને પેાતાના પુત્ર ઉપર સ્નેહભાવ તા હેાયજ, એ તેા એક સામાન્ય વાત છે; પણ જ્યારે મહાવીરે ગર્ભાવસ્થામાં પેાતાની માતાને દુ:ખ ન થાય એ માટે પોતાનું હલન-ચલન બંધ કર્યુ હતુ, ત્યારે માતાને પોતાના ગર્ભના સંબન્ધમાં અનિષ્ટ શકા થતાં પારાવાર શાક-સન્તાપ ઉત્પન્ન થયા હતા, અને તેની જે ગંભીર અસર મહાવીરના
>
વિવેકી હૃદય ઉપર થઇ હતી, એનુ જ એ પરિણામ હતુ કે તેમણે માતાપિતાની હયાતી સુધીમાં ‘ તપાવન ' ના મા` લેવાનું મુલ્તવી રાખ્યુ હતુ.
[4]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com