SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અને પાસેના દેવતાએ રજુ કરેલ “રજોહરણ? પ્રમુખ ઉપકરણ ગ્રહણ કર્યા. ત્યારે ઇન્દ્ર ભરતને વાંદ્યા; કેમકે કેવલી પણ જે અદીક્ષિત હોય–દીક્ષાવેષસમ્પન્ન ન હોય તે કદી વિદાસે નથી” મારી સમજમાં તે વેતામ્બરેના મૂળ પ્રવચન–આચારાંગ” આદિમાં ફરમાવ્યા મુજબ નાનાનગ્નાત્મક અનેકાન્ત-દર્શનજ જનદર્શનનું ખરું સ્વરૂપ સમજાય છે. મારે નમ્ર મત તે હું એ જણાવું કે અહ-દર્શનની સાચી પૂજા સામ્પ્રદાચિક સંસ્કારની સંકુચિત વૃત્તિઓને અલગ કરી લઈ વિશ્વ-દ્રષ્ટા અહંન દેવની વિશ્વવ્યાપક તત્વ- ષ્ટિના ઉચ્ચ ધ્યેય પર પિતાની વિચાર-બુધ્ધિ સ્થાપન કરવામાં છે. વળી એ પણ ધ્યાનમાં રાખવું ઘટે કે મહાવીર દેવના જીવન-પ્રદેશને કેટલાક ભાગ એટલો બધે ગંભીર છે કે પુરતે વિચાર કર્યા વિના, સામ્પ્રદાયિક દુર્મોહથી કે બુદ્ધિના અટકચાળાથી એક ભડાકે કે એક કલમના ઘેદે“નિર્ણય” જાહેર કરવા જેવું નથી. ભગવાનની જીવન–સ્થિતિ પર પ્રકાશ પાડવામાં વિશિષ્ટ બુદ્ધિ, દીર્ધ અભ્યાસ, સૂક્ષ્મ આલેચના, બહુ વાંચન અને તટસ્થ માનસની દરકાર છે, સાથે જ હૃદય પણ શક ન લઈ ભાવિક અને શ્રદ્ધાસસ્પન જોઈએ. . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy