SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ (૫) “સુમેરૂ” મહીધરને કંપાવ્યાની બીના મૂકવાની જરૂર નથી. ભગવાનના મહામહિમશાલી જીવનના પ્રકાશન–ક્ષેત્રમાં તેનું સ્થાન કેટલું ! ( ૬ ) ભગવાનની સાથે રહેનાર કેટયવધિ દેવતાઓને અવગાહવાના સ્થાન વિશે ચિન્તા કરવી નકામી છે. એમની અવગાહનાને કઈ ભૂતલ કે દીવાલની જરૂર નથી. અદશ્ય કે દશ્યરૂપધારી તેમને માત્ર અન્તરીક્ષની વિપુલતાજ પોતાની અવગાહના માટે બસ છે. શાસ્ત્રવર્ણિત–શક્તિશાલી દેને જે માનીએ તે આ પ્રશ્ન નિરવકાશ છે. સમવસરણ વસ્તી–બહાર, મેદાનમાં થાય, એટલે ઘર-દૂકાન-મકાને પાડવાની શંકા કરવી અસ્થાને છે. પણ આવી વાતે મૂકવી હોય તે સંક્ષેપમાં અને રીતસર ચૂકવી ઠીક છે. ( ૭ ) “શૂલપાણિ ચક્ષ” વાળી ઘટના “ વઢવાણ ( ઝાલાવાડ ) માં નથી બની. ભગવાનનું ચોમાસું ગુજરાત-કાઠીયાવાડમાં નથી થયું. શેષકાળમાં કદાચિત તેઓ “શત્રુંજય ” ની ક્ષેત્ર સ્પર્શના કરી ગયા હોય તે અસંભવ નથી, પણ તેનું પ્રમાણ મળવું જોઈએ. (૮) નગ્નવાદ અને વસવાદ એ બને એકાતરૂપે સદેષ હાઈ અગ્રાહ્ય છે. મુકિત ન તે નગ્નતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy