SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પડાવ નાખી પડેલી સેનાનો હેમને ભાસ થયો. અંતરનાં સગાં હોવાનો દા કરનારી વ્યક્તિઓ થી સ્થિતિમાં સગપણ રાખે છે અને ભૂલે છે તે તેઓ સમજી શક્યા. જીવન, જોબન, જર અને જગત આખર ફના થનાર છે તેમજ આખર વીતરાગનો ધર્મજ આત્માને દુઃખોથી બચાવનાર છે. તે તેમને સમજાયું. માતા, પિતા, સ્ત્રી, બન્યું કે ભગિની ઇત્યાદિ સંસારી સંબંધીઓ ઉગતા સૂર્યને પૂજનારાં છે. પિતાના સ્વાર્થને નાશ થતાં તેઓ સગપણ જેવી વસ્તુજ ભૂલી જાય છે અન્ત સમયે માત્ર આત્માને પિતાની દ્રષ્ટિ (કૃતિ)એનાં ફળ ભોગવવાં પડે છે. આમ છતાં “અહંતા અને મમતા ”માં મસ્તાન બની આત્મભાન ભૂલી જવાય છે. મહા"• • ••••• • • • અને મહારી • • • ••••••••• ની આશા અને તૃષ્ણામાં તણાતા બીચારા અજ્ઞાન સંસારીઓ અન્તકાલે એકલા રડતી સુરતે પુન જીવન તરફ પ્રયાણ કરે છે “માનવ દેહ એજ માત્ર આત્મ સાધના અને મોક્ષ પ્રાપ્તિ માટેનું અત્યુત્તમ સાધન છે. અનન પુણ્ય-રાશિનું પરિબળ એકત્રિત થાય ત્યારે દશ દષ્ટાન્ત કરી દુર્લભ એવો મનુષ્ય દેહ પ્રાપ્ત થઈ શકે છે. તેમાં પણ આર્ય દેશ પંચેન્દ્રિય પટુતા, ઉત્તમ કુલ અને સ્વાદ્વાદ વાચી જનધર્મ, વધુમાં વોતરાગ દેવ અને નિગ્રંથ ગુરૂ આ બધી સામગ્રીની પ્રાપ્તિ પૂર્વ પુણ્યના પ્રબલ સંગો અને ઉદયની અપેક્ષા રાખે છે. અને આ સર્વેનો સદ્ભાવ હોવા પછી પણ યદિ માનવજીવનની સફળતા ન કરી શકાય તે હેના જેટલું જ મૂર્ખાઈ ભર્યું બીજું શું હોઈ શકે ? વીરજીભાઈના હૃદયમાં આ વિચાર અને ભાવનાઓને વાસ અને વિકાસ દટ અને ફળરૂપ થતે ગયો. તેમજ પૂજ્ય પન્યાસજી શ્રીમદ્ ઉમેદવિજ્યજી ગણીની વૈરાગ્ય-રસ ગર્ભિત વાણની હેમના ઉપર ઉંડી અસર થતી ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035291
Book TitleAnuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherUmedkhanti Jain Gyanmandir
Publication Year1928
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy