SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ “ Little knowledge is a dangerous thing “અધુરો ઘડો છલકાય ' એ સ્થિતિ ચરિત્રનાયક માટે નહતી. ઓછું જ્ઞાન અને અદકે ગર્વ એટલે ઓછું જ્ઞાન હોવા છતાં સંપૂર્ણ જ્ઞાની હવાને આડેબર કરવો એ જ્ઞાનનું અજીર્ણ થવા બરાબર છે. બીજા કઈ પ્રકારનું અજીર્ણ થાય તે જ્ઞાનથી દૂર કરી શકાય પણ જે જ્ઞાનનું જ અજીર્ણ થાય તે શું સ્થિતિ થાય ? તેની કલ્પના પણ ન થઈ શકે રાજાજ ભક્ષક બને, વાડજ ચીભડા ગળે ત્યારે શું કરવું ? એ સ્થિતિ જ્ઞાનનું અજીર્ણ થાય તે થાય છે પણ સભાગે ચરિત્રનાયક તેથી વંચીત હતા. આથી પિતાના અભ્યાસને આગળ અને આગળ ચલાવ્યો. સિદ્ધાન્તો વિગેરેને સારે અભ્યાસ કર્યો. આમ આત્માને શુદ્ધ સ્વરૂપમાં નિહાળવાને ચરિત્રનાયકે જ્ઞાન અને ધ્યાન શરૂ કર્યા. “જ્ઞાન સહિત તપ જે કરે, નક્કી મુકેર જાય. એમ ચરિત્ર નાયકે જ્ઞાનના આરાધન સાથે તપશ્ચર્યા જે ચારિત્રની શુદ્ધિનું આવશ્યક અંગ છે, જે કર્મ સમૂહની દુર પરિબળતાને હણવા એક જ શસ્ત્ર છે, જે આત્માનો સાક્ષાત્કાર કરવા એકજ દીપક છે, તે પણ તેઓશ્રીએ આદરી. તેઓશ્રીએ એમ જીવનમાં બાર વર્ષ સુધી તે લાગઇ એકાસણાં જ ક્યાં હતાં. આ એછી તપશ્ચર્યા નથી. પછી તે આત્મા તિર્મય થાય તેમાં શું શંકા ? આમ મુકિત રમણીની શોધમાં જ્ઞાન-ધ્યાન અને તપ એ ત્રિવિધ સાધનોથી તેઓશ્રી જીવનમાં પ્રગતિના પથેં વિચર્યા. ત્યારબાદ ઉજમબાઇની ધર્મશાળામાં શ્રીમાન બુદ્ધિવિજયજી કે બુટેરાવજી તથા શ્રીમાન મુકિતવિજયજી કે મુલચંદજી મહારાજના સહવાસમાં તેઓશ્રી રહ્યા અને તેમની પાસેથી પણ ચરિત્રનાયકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035291
Book TitleAnuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherUmedkhanti Jain Gyanmandir
Publication Year1928
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy