________________
દિગમ્બરગ્રન્થને રચના કાળ પ્રથમ આપણે દિગમ્બરગ્રન્થને રચના કાળ તપાસીએ. દિગમ્બર મતાનુયાયીઓનું એમ કહેવું છે કે-“અગીઆર અંગ વિચ્છેદ થઈ ગયાં છે, અને વી. સં. ૬૮૩ માં ધરસેન નામના
મુનિ પાસેથી જ્ઞાન લેવાવાળા બે મુનિયેએ પહેલ વહેલાં પેણ શુક્લ પંચમીને દિવસે ત્રણ સિદ્ધાન્ત બનાવ્યાં.”
હવે અહિંયાં તે પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે-તે બે મુનિઓએ શાસ્ત્રોની રચના શા આધારે કરી ? કદાચિત્ કોઈ એમ કહે કે અંગોને કઈ કઈ ભાગ રહ્યા હતા તે ઉપરથી શાસ્ત્રો રચ્યાં,
હારે તે એ વાત ચોકકસ છે કે-જન સમાને પ્રતીતિ થવા માટે ખાસ તે તે અંગેની અવશ્ય સાક્ષી આપવી જોઈતી હતી, - અને તે પ્રમાણે તે કોઈ સ્થળે દેખવામાં આવતું જ નથી. તેથી
એ વાત સિદ્ધ થાય છે કે–તેઓએ સ્વકવિ કલ્પિત શાસ્ત્રો રચ્યાં છે, અને સ્વપલ કલ્પિત શાસ્ત્રો જગતમાં કેવી રીતે પ્રમાણ થઈ શકે? તે તે વાંચકે સ્વયં સમજી શકે તેમ છે.. અસ્ત !
હવે પ્રથમ તે દિગમ્બરેએ માનેલા ધસેન મુનિને સમથજ પૂર્વાપર વિધવાળો દષ્ટિગોચર થાય છે, જુઓ –
એક સ્થળે એમ બતાવવામાં આવ્યું છે કે-“મહાવીરદેવના નિર્વાણ બાદ ૬૮૩ વર્ષે ધરસેન મુનિ ગિરનારની ગુફામાં બેઠા
હતા, તે કાળમાં અગિઆરે અંગ વિરછેદ ગયાં. ” જયવ્હારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com