SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ •* ^^ ^*-*^^^ ^ • • • • • w w ".vv , v - .... . . -------- ---- -- - * આ તે જ્ઞાતિવરા કે આબરૂના કાંકરા? ૩૩૫ જાગ્યા અને આર્યવની ભાવના ભ્રષ્ટ થઈ. પરદેશી યવન સામે લડવા નીકળતાં ગાય અને બ્રાહ્મણે યુદ્ધને મેખરે મૂકે એટલે રજપૂત ભાગવા લાગ્યા. સમૂડ ટુંકો થયે, જો નાને થયો, સંખ્યાબળ ઘટયું; એટલે અદેખાઈ જાગી, ઈર્ષ્યા આવી, ઠેષ પેઠે, વેર વધ્યાં, ઝેર જામી ગયાં, કેઈ ઉચા ચઢયો તો તેને પછાડયો. એક આગળ આવ્યો તો તેને પાછો ધકેલ્યો. આમ સંતાકૂકડીની ડાકડારીની રમત જ્ઞાતિના હવાડામાં દેડકાંઓએ આરંભી ! કહે ઘરનાં છોકરાંને ઘીને છાંટો નહિ, નિશાળમાં ભણવાને ફી આપવાના ઠેકાણાં નહિ, પરદેશમાં કમાવા મેકલવાને સગવડ સારૂ ટિકિટના પૈસાની તાણતાણ, તેમાં દેવું કરી વરા કરવામાં આશીર્વાદ આવવાને હતો ? અને કયા પિતૃઓ સ્વર્ગમાંથી આશીર્વાદ મેકલવાના હતા ? વળી ધૂળ૪ વિતા રાફુ તેમ દેવું કરનારે બાપ શત્રુતુલ્ય છે, તો પોતાનાં છોકરાં પિતાને સ્વર્ગમાં પહોંચાડવા દેવું કરે તે પુણ્યશાળી પિતાને રૂચે ખરું ? વળી દેવું કરીને જ્ઞાતિવરે કરવાથી સ્વર્ગો મળવાનું જ છે, એવું ચોક્કસ તો કઈ કહેતું જ નથી. કોઈના કાગળ-પત્ર, તારટપાલ, સંદેશ કે વાયરલેસ કંઈ સ્વર્ગથી પૃથ્વી ઉપર અત્યાર સુધી આવેલું જણાતું નથી. માટે જ્ઞાતિને “ ગંગાને પ્રવાહ ” માની પિતૃઓને સ્વર્ગ અપાવવાની લાલચે જમણવાર કરનારાઓ ધૂણુમાં બાચકા ભરે છે, યા તો પાણીમાં ડાંગ મારે છે, એમજ માનવું. એમ સ્વર્ગ સસ્તાં નથી, અને “ગંગાના પ્રવાહ’ ગલીકુંચીએ ઉભરાઈ જતા નથી. એ બધી વાતો સાચી હોત તો આજે હિંદુસ્તાનમાં એટલું બધું પુણ્ય જમા બાજુએ થઈ ચૂકયું હોત, કે અંગ્રેજોને સ્વરાજ આપી દઈ વિલાયત વિદાયગોરી લેવાની ફરજ પડી હોત. ઉતાવળ એટલે શું? બીજી દલીલ જ્ઞાતિવરાના હિમાયતીઓ એવી કરે છે કે, ભાઈ! ધીરે ધીરે સૌ થશે. ઉતાવળ કરશે તો બાજી બગડશે. જેની પાસે પિસા હોય તે કરે, ના હોય તે ના કરે. તેને ઘેર કેઈ લાંધવા બેઠું છે ? જમાડીને જમવું છે. ધંટી ઉપર ઘઉં મૂકીને ખાવું છે. લાત મારવી અને લાત ખાવી છે તેમાં કાંઈ સપાડું છે? વગેરે આ દલીલ ઉપરટપકે ઠીક દેખાય છે, પણ તેમાં પાપબુદ્ધિ, સ્વાર્થવૃત્તિ અને ગરીબને છુંદવાની કળા સિવાય બીજું કંઈજ નથી. વળી જમવાની ખાતર જમાડવું એનો અર્થ શું? “ધીરે ધીરે શું અને “ઉતાવળ” શું એનો અર્થ જ આપણે સમજતા નથી, એમ કહીએ તો ચાલે. વડોદરાના શ્રીમંત મહારાજા સાહેબે એક વખતે કહેલું કે “ આપણું એક દિવસની આળસ “એમાં શું ? “આવતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy