SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનઝાંખી (૪૯, ચારૂપજી, પાવલજી, શ્રીકેશરીયાજી વિગેરે તીર્થો બચાવી શક્યા હતા. શ્રીસમેતશિખરજી પાહડ પર બ્રિટીશ ગવરમેન્ટ બંગલા બાંધવાની હતી. તેમાં પ્રચંડ વિરોધ જગાવીને ગવરમેન્ટને હંફાવી હતી. અંતે તે પહાડ ખરીદી લીધા હતા. શ્રી શત્રુંજય ગિરિરાજના રખોપાના પ્રસંગમાં ૬૦ હજાર રૂપીયા વાર્ષિક ભરવાના હોવાથી રૂ ૧૧) લાખની ટીપ કરાવી આપી હતી. જીવરક્ષા જીવરક્ષાને સચોટ ઉપદેશ આપવા વાલા હતા અને એના માટે કટિબદ્ધ રહેનારા હતા. માળવામાં શિલા, નરેશને પ્રતિબંધ કરી તેની પાસેથી જીવરક્ષાનું ફરમાન લીધું હતું. બીજા પણ સેમલિયા અને પંડના ઠાકોરને તેવી રીતે જીવેદયાને પ્રતિબંધ કર્યો હતો. વર્ચસ્વ તેઓશ્રીનું વર્ચસ્વ એવુ હતુ કે તેઓશ્રીને હરાવવાની બુદ્ધિએ આવ્યો હોય કે ચહાય તેવી બુદ્ધિએ આવ્યા હોય પણ તેઓશ્રીના વાર્તાલાપની અંદર તે ઠરી જાતે હતા. એક પ્રસંગ એવો બન્યા હતા કે અજીમગજમાં એક જાણીતી વ્યક્તિ આવી, વાતચીત થઈ અને જવાબમાં હવે પછી તેને ઉત્તર આપવા આવીશ. પછી તે વ્યક્તિ ગઈ તે ગઈ. એવું તેમનું વર્ચસ્વ હતું. વાદવિવાદ કેટલાકે વાદવિવાદને ઝગડો કહે છે અને ખરેખર જવાબ દેનારને ઝગડાખોર કહે છે. આ મનુષ્યો ખરેખર વસ્તુને સમજતા જ નથી. વાદવિવાદ એ ઝગડો નથી, પણ શાસનની રક્ષા છે. આટલા જ માટે તીર્થંકર પરમાત્માને પરિવાર ગણાવતા આજે પણ આ ફરમાન અમલમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy