SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ દ્વારક નિત્યક્રમ આગમદ્ધિારકશ્રીને એ કમ હતો કે ઉંઘમાંથી ઉઠતાં નમે જણાવ્યું કહેવા પૂર્વક ઉઠવું, મનમાં પિતાનું ધારેલું નિત્યનિયમ પ્રમાણે મૌનપણે ગણવું, ત્યાર પછીથી ચાલતાં ચાલતાં ઉચારપૂર્વક ગણવું, પછી માત્રાની બાધા ટાળવી. ત્યાર પછીથી ખાકીનું ગણવું. રાત્રિક પ્રતિકમણ કરવું. પડિલેહણ કરવું. ત્યાર પછીથી વાંચવા બેસવું. ઓછામાં ઓછા રિજ ૫૦૦ કે વાંચવા. બેસે કે ન બેસે પણ વાંચવું તે તો સારું. દેશનાના અવસરે વ્યાખ્યાન આપવું. પછી પાત્રો વગેરેથી પડિલેહણની આવશયક વિધિ કરવી. અને દેહરાસર જવું. ગોચરી પાણી લાવવાનું તેજ વખતે થતું હતું. સુતા પહેલાં ચર્ચાના ગ્રંથામાંથી વાંચવું. પછી આરામ માટે સંથારે કર. પાછું વાંચન કરવું. ગોચરીને સમય હોય તે ગાચરી કરવી. દેવસિક પ્રતિક્રમણ વગેરેની ક્રિયાઓ કરતા હતા. ક્રિયાના સમયે બીજી કઈ પણ જાતની ગરબડ તેઓશ્રીને ઈષ્ટ નહતી. અને કહેતા કે “ આ કાળની ક્રિયા અને તેમાં વળી વાત ચીત ! ! મુનિ શ્રીઆલમચંદજીનું મલવું ત્રણ વર્ષના દીક્ષા પર્યાયે ઉદેપુર (મેવાડ) ગયા હતા. ઉદેપુરની અંદર મુનિ શ્રીઆલમચંદજી મલ્યા હતા. આ ઉદેપુરમાં આગમ દ્ધારકશ્રીના ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મહારાજે અનહદ ઉપકાર કરેલો છે. આજે પણ ઉદેપુર તેમનાં ગુણેને સંભાળે છે. ઉદેપુરને ભંડાર તેમણે વ્યવસ્થિત કરી આપેલ છે. ત્યાં તેમને મુનિ શ્રીઆલમચંદજી મહારાજ મળતાં, એકબીજાને વાતચિત થતાં, “આ પણ એક અભ્યાસી અને વિદ્વાન સાધુ છે.' તેવી તેમને છાપ પડી હતી. ત્યારે મુનિશ્રીઆલમચંદજી એમ બોલેલા કે કોઈ વખત પાલી' જેવા જવું છે. કારણ કે પાલીમાં શ્રાવકે વિદ્વાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy