SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૪ ] શ્રાવિકા સાથે વિશેષ પરિચય રાખવાથી આપણી તેમના તરફ્ની પૂજ્યબુદ્ધિ એછી થાય છે. તેમ વળી તેએ પણ સંસારીને વિશેષ પરિચય થવાથી સ્વધર્મથી ચકે છે. સંસારીને વિશેષ પરિચય રાખવા નહીં એમ ચારિત્રધર્મમાં પ્રત્યક્ષ દર્શાવેલું છે, તેનું કારણ પણ એ જ છે. (૨) સુઘડતા રાખવી એ ગૃહકાર્ય ની વ્યવસ્થાને ખીજો પ્રકાર છે. સુઘડતા એ સ્ત્રીઓને આભૂષણરૂપ માટેા ગુણ છે. સુઘડતા રાખનારી રામાએ સર્વની પ્રીતિ સારી રીતે મેળવી શકે છે. શ્રાવકવએ હંમેશાં પ્રાત:કાળે વહેલા ઊઠી, શાચિવિધ કરી, શુદ્ધ થઇ ઘરનું કામકાજ કરવું. ઘરના સર્વ ભાગા કચરા કાઢી સાફ રાખવા. ઘરની અંદર જે નીચર કે ખીજી વસ્તુએ હોય તેને ખ ંખેરી લુહી સાફ રાખવી. ખૂણેખાચરે પડેલા કચરા દૂર કરી ઘરને દર્પણુના જેવું બનાવવું. કાઇ ઠેકાણે રજ રહેવા દેવી નહીં કે ગંદકી થવા દેવી નહીં. ગંદકી થવાથી જીવાત ઉત્પન્ન થાય છે અને તેથી હિંસા થવાના સંભવ છે. જીવદયા પાળવી એ શ્રાવિકાના મુખ્ય ધર્મ છે. સુજ્ઞ શ્રાવકવઘૂએ પાતાના ઘરની બધી ચીજો સાક્ રાખવી. રસેાઇનાં અને પાણી પીવાનાં દરેક વાસણ્ણા સાફ અને ચકચકિત રાખવાં. કેાઈ જાતના મેલ કે લીલ તેમાં ન ખાઝે તેમ સંભાળ રાખવી. સૂવાનાં પલંગ, પથારી અને ગાદલાં વગેરે ખંખેરવાં અને તેમાં જીવાત પડવા દેવી નહીં. તે બધાં કામ શ્રાવિકાએ યતના રાખીને કરવાનાં છે. બાળવાનાં છાણાં, સર્પશુ વગેરેમાં પણ ઘણી યતના રાખવી. જો તેમાં યતના ન રખાય તે પ્રાણાતિપાતને મહાદેષ લાગી જાય છે. શ્રાવિકાએ હંમેશાં પ્રાસુક જળથી સ્નાન કરવુ. પેાતાનુ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035264
Book TitleShravika Subodh
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Bhanji Jain
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy