SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સુબોધ | [ ૩૯ ] આવી સંસારમાં ઉપગી અબળાને તેના શ્રાવકપતિએ સુખ આપી સંતેષમાં રાખવી અને સર્વદા આનંદમાં રાખી તેણીના સગુણેને લાભ સંપાદન કરે એ શ્રાવકપતિને ધર્મ છે. કેટલાએક કેળવણ રહિત પુરુષો પિતાની સ્ત્રીને દુઃખી કરે છે અને પોતે સુખ ભેગવવાને વિપરીત માર્ગે ચાલે છે. તેવા પુરુષોમાં પતિપણું ઘટતું નથી. એટલું જ નહીં પણ તેઓ દયાધર્મના ધારક શ્રાવકપણાને લાયક નથી. આવા પાપી પુરુષે શ્રાવકાભાસ થઈ સંસારમાં દુઃખી થાય છે અને છેવટે પાપના કટુ ફળના ભક્તા બને છે. સુજ્ઞ શ્રાવકેએ તે સમજવું જોઈએ કે, ચતુર્વિધ સંઘનું ચતુર્થ અંગ શ્રાવિકા છે. તેને અનાદાર કરે, તેને દુઃખ આપવું, તેની તરફ તિરસ્કારની દષ્ટિથી જોવું, એ સંઘના એક અંગની આશાતના કર્યા બરાબર છે. તીર્થરૂપ સંઘની આશાતના કરવી, તેને અનાદર કરે એ દુર્ગતિનું કારણ થાય છે. કુલીન શ્રાવકોએ પોતાના ઘરને શૃંગાર–પિતાના શ્રાવકસંસારની શોભા શ્રાવિકા છે એવું જાણી તેને હમેશાં સંતુષ્ટ અને પ્રસન્ન રાખવી. પ્રસન્ન થયેલી પવિત્ર શ્રાવિકા શ્રાવકનાં ઘરને અને કુળને દીપાવે છે. સદ્દગુણ અને સસ્મિતવદના સુંદર શ્રાવિકા ખરેખરી શ્રાવકસંસારની શોભા છે. એવી શ્રાવિકાને તેના પતિએ પોતાનું જીવિતસર્વસ્વ ગણવી જોઈએ અને તેને સર્વદા પિતાની સહચારિણી કરવી જોઈએ. કદી કર્મણે સ્ત્રી લુલી કે પાંગળી હય, બહેરી હોય, કે મુંગી હોય, આંધળી હોય કે કદ્રુપી હોય, પણ પ્રથમ જાણ્યા પછી જેને હાથ દેવ, અગ્નિ અને લોકોની સાક્ષીએ ગ્રહણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035264
Book TitleShravika Subodh
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Bhanji Jain
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy