________________
નિવેદન.
ગુરૂણીજી લાભશ્રીજીનેા ભાવનગરના શ્રાવિકાસમુદાય ઉપર થળેા ઉપકાર છે. તે સાહેબના ઉપદેશથી શ્રાવકવર્ગોની માલિકાઓ અને સ્રીએ અનેક પ્રકારના જુદા જુદા તપ કરે છે. ગત ચાતુર્માસમાં શ્રાવિકાઓએ અંગવિશુદ્ધિ તપ કર્યાં હતા. તેની પ્રાંતે જ્ઞાન પાસે મેદક મૂકવાનુ વિધાન છે, પરંતુ મેાટી સંખ્યાની શ્રાવિકાએ તપ કરનાર હેાવાથી લાડવા માત્ર ૧ મૂકી બાકીના લાડવા બદલ અમુક દ્રવ્ય જ્ઞાન ખાતે લેવામાં આવ્યું. તેના ઉત્પન્નમાંથી આ ષુક છપાવવામાં આવી છે.
આ બુકની અંદર ગુરૂણીજી લાલશ્રીએ પેાતાને પસ પડતા ઉપયેાગી સંગ્રહ કર્યો છે. એ રસમય ચુંટણીના અનુભવ અનુક્રમણિકા વાંચવાથી થઈ શકે તેમ છે. તેમાં સંખ્યા (૫૧) ની છે પરંતુ નવવાડની સજ્ઝાયા ૧૦ છે, ખીજી એક સજ્ઝાયમાં ઢાળ રૂ છે. ઉપરાંત શ્રી સમવસરણના સ્તવનના ભાવાર્થ સારા વિસ્તાર સાથે દાખલ કરેલા છે, તે બહુ ઉપયેાગી થવા સંભવ છે. એક . તે ગહંની છે, એક સ્તુતિ જોડા છે, ઋતુવતીને લગતી ૩ સજ્ઝાયા છે તે ખાસ ધ્યાન આપવા લાયક છે. બીજો પ્રભાતમાં સંભારવા લાયક છઢા વિગેરેના માંગલિક સગ્રહ ડી કર્યો છે.
એકંદર રીતે વિચારતાં આ નાની સરખી બુક પણ ઘણી ઉપયાગી થવા સંભવ છે. શ્રાવક શ્રાવિકાઓ અને ખાલિકાએ આને પૂરતા લાભ લેશે તેા સંપાદક ને પ્રકાશકને પ્રયાસ સફળ થશે.
આટલું લખી આ નિવેદન સમાપ્ત કરવામાં આવે છે.
સંઘસેવક
કુંવરજી આપ્યું છે.
સ. ૧૯૮૮ માર્ગશીર્ષ અે ૧
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com