SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સતી શિરામણું ચંદનબાળા પર જોયો છે. એજસ્વી વાણીને ધોધ વહેતે નિહાલ્યો છે. ભાયાત હરનામસિંહની બહાદૂરી આપણું સૈનિક સમુદાયમાં અજાણ નથી. એના સરખો એક પત્નિવ્રત ધારી અને પ્રમાણિક ગરાસદાર મારા જાણવા મુજબ આપણું પ્રદેશમાં અન્ય નથી. એવા ચારિત્ર - સંપન્ન ઘરમાં જેને ઉછેર થયો હોય એવી લલના, રમણીરત્ન તરિકેની ખ્યાતિને વરે એમાં નવાઈ પણ શી? મરદ કરતાં સ્ત્રી જાતિમાં સ્નેહના આંકડા જલ્દી સંધાય છે, અને વૃદ્ધિ પામતી રેશમની ગાંઠની ઉપમાને વરે છે. સખીપણુના નાતાથી ભાયાતપુત્રી ધારિણી, અહીં ચંપામાં મંત્રીપત્નિને મળવા આવેલ. એક વેળા ઉભય સહિયરો ઉદ્યાનમાં જે પ્રાસાદ આપણે જે ત્યાં દર્શને આવેલ. અચાનક પધારેલ રાજવી દધિવાહનની દષ્ટિએ એ રમણી રત્ન ચઢ્યું. ચાર ને સામ સામે મળતાં જ હૃદયના તાર ઝણઝણી • રહ્યા. આ પ્રસાદ પાછળ તો લાંબી ઐતિહાસિક શંખલા રચાયેલી છે. - એની ચમત્કૃતિના ખ્યાન પણ કંઇ કંઇ જનતાના અંતરમાં નેધાયેલા પડ્યા છે. એમાં વૃદ્ધોની સાક્ષી પણ સાંપડે છે. વારાણશી નગરીના - સ્વામી અશ્વસેનના પુત્ર પાર્શ્વકુમારે કમઠ જોગીની બળતી ધૂણમાંથી લાકડું ખેંચી એમાંથી ઝળતા સપને બચાવી, સાચો ધર્મ જીવદયામાં છે એ વાતને વિજય વાવટો ફરકાવ્યો અને પાછળથી તેઓ સંસાર ત્યજી દઈ સાધુ બન્યા. એકાકી વિચરતા એ સંત ઉપર ઉપસર્ગોની ઝડી વરસી. એ સર્વ સમતાભાવે સહન કરી તેઓ સર્વજ્ઞ બન્યા. - આમ જનસમૂહમાં પુરૂષાદાની પાર્શ્વનાથ તરિકે પ્રસિદ્ધ થયા. એમના પગલાં અહીં થયેલાં. એમના ઉપદેશથી જનતાને મોટે ભાગ અરિહંત ધર્મનો ઉપાસક થયો છે. એમના આગમન બાદ આ ઉદ્યાન - તથા એમાં આવેલ પ્રાસાદ, તીર્થધામ રૂપ બને છે. ! ચાલુ - અવસર્પિણી કાળમાં થયેલ એ ત્રેવીસમા તીર્થકર છે. પૂર્વે બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy