SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨}} સતી શિરામણી ચંદનબાળા એ કારણા એકઠાં થયાં છે. તેઓની સાથે જે શ્રમણીઓને સમુદાય છે એમાં એક સમયના આપણા રાણીમાતા મૃગાવતી પણ છે. દીક્ષા લીધા પછી જુદા જુદા પ્રદેશમાં વિહરતા તે આજે પહેલીવાર માતૃ ભૂમિમાં પગ મૂકે છે. રાજવી ઉદયને પેાતાની સાધ્વી માતાનું સામૈયું મોટા આડ`બર પૂર્વક કરવાના નિર્ધાર કર્યો છે, > " ખીજું કારણ તે। ખુદ તીથ પતિને લગતું છે. ભગવ’ત મહાવીર એક મરણાંત ઉપસ માંથી ખચી ગયા છે. વ્યવહારી વાણીમાં કહું તે નવે અવતાર આવ્યા છે. એ બનાવ પછી ઠેર ઠેર સુખ શાતા પૂછવા રાજા મહારાજા અને ઇંદ્રો ગયા છે. તેએશ્રીના અહીં પગલાં થાય છે. એટલે આ નગરીને પણ એવા મેટેરાઓનાં દનને લાભ મળવા સંભવ છે. એવા તે કયા અધમ માનવીએ આ કરૂણાના ભંડાર સમા ત્રીશલાનંદન ઉપર એવા ભયંકર ઉપસ કર્યો ? મને જો કે જૈન દર્શનને ખાસ અભ્યાસ નથી છતાં મારા સાંભળવામાં આવેલું છે કે તીથ કર થનાર આત્માઓને ઉપસર્ગોના સામના કરવા પડે છે; પણ તે જ્યાં સુધી તેઓ કૈવલ્ય પામ્યા નથી હોતા ત્યાં સુધીજ. એ વેળાનુ તેમનું ક`ભ્ય સમતાભાવે પરિષહેા સહન કરવાનું, કમ પુંજને જડ મૂળથી ઊખેડવા સારૂ તપ તપવાનુ, અને જ્યાં એ ઉભય ચીજો વધુ પ્રમાણમાં અમલી બને એવા પ્રદેશમાં વિચરવાનું હોય છે. જવલ્લેજ તેઓ પૂછેલા પ્રશ્નના ઉત્તર આપે છે. ઉપદેશનું કાર્ય પણ કરતા નથી. કૈવલજ્ઞાનીને ઉપસગ સાંભળ્યા નથી. જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેહનીય અને અંતરાય નામા ચાર ધાતિ ક્રર્માંને! સચા નાશ કરીને એ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. સચરાચર વિશ્વના પ્રતિસમયના ભાવેાના જ્ઞાતા બને છે. પછી ઉપદેશ દ્વારા ભવ્ય વાના ઉદ્દારનું કાર્ય હાથ ધરે છે. પ્રેમળ વાણીમાં શાશ્વત તત્ત્વા સમજાવે છે, જનસમૂહની શકાએ ટળે, છૅ. આત્મશ્ચયને પંથ બતાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy