SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ હદય પલ્ટો એજ જીવન પટ કંઈ સ્નેહ સબંધ છે. પવિત્ર અંચળા હેઠળ આવું કઈ કઈ વાર ચાલતું હોય છે. તે દૂર કરવાની વૃત્તિથી હું અહીં દોડી આવ્યો. પણ આપને જોયા, અને ઓળખ્યા. તરતજ મારી એ શંકા નાશ પામી. આપ તે શુદ્ધ કુંદન જેવા છે. મેં વગર વિચારે શંકા સેવી એની માફી ચાહું છું. રમણ યુગલની હાસ્ય ચેષ્ટાનું કારણ કંઈ: બીજું સંભવે છે. નાયક! એમજ હેવું જોઈએ. પાટલીપુત્ર નગરમાં ગોચરી: અર્થે જઈ રહેલ હું, જરૂર એના મકાનો તરફ મારા નેત્રો ફેરવત હતા.. વળી માર્ગ તરફ નીચી નજર પણ કરતા હતા. બાકી મેં કોઈ નારીયુગલ તરફ ખાસ દષ્ટિ ફેકી નથી તેમ બહારના કેઈ આવાસમાંથી આહાર આર્યો પણ નથી. મહારાજશ્રી ! આપની વાત સાચી છે. એ રમણીઓને હું ઓળખું છું. ત્યાં પહોંચવાથી ખરૂં કારણ જણાશે. આવતી કાલે તે ઉભયને તેડીને હું આપની પાસે જરૂર આવીશ. નાયક પાછો ફરી મુસાફરખાનામાં આવ્યો અને જરૂરી કાર્યોથી પરવારી જ્યાં સામેના આવાસમાં જવાની તૈયારી કરે છે ત્યાં મુખ્ય. દ્વાર પર માત્ર પહેરેગીરને બેઠેલો જોયે; જ્યારે ઉપરનાં બારી બારણાંસર્વ બંધ દીઠાં. એણે અનુમાન કર્યું કે ઉભય લલનાઓ કેઈ કાર્ય પ્રસંગે બહાર ગઈ હશે, માટે હવે રાત્રિનાજ મળવાનું રાખવું. બપોરને કુરસદનો સમય નગરમાં ફરવામાં વ્યતીત કરો. નિશ્ચય કરી તે. પાટલીપુત્રના બજાર માર્ગે નીકળી પડ્યો. અભયા અને પંડિતા વચ્ચે જે વાત પૂર્વે થઈ હતી તે અનુસાર, પંડિતાએ સુદર્શન મુનિ રાત્રિના કાર્યોત્સર્ગમાં હોય ત્યારે ઉઠાવવાને અને નિણિત સ્થાને આગમાં ભસ્મ કરવાને તાકો ગોઠવ્યો. એ સાર માણસ, લાકડાં, તેમજ અગ્નિ જલ્દીથી પ્રજ્વલી ઊઠે તેવાં રાળ લાખ,. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy