SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રિમણ છવનની સુવાસ ૨૧૫ પણ થઈ જાય. જ્યાં આવતી કાલે શું થશે અથવા તો ઘડી પછી શું બનશે એનું આપણને જ્ઞાન નથી ત્યાં દિવસોના ભરોસે આંગણે આવેલ અવસર ચૂકે એ તે “તળાવે જઈ તરસ્યા રહેવા જેવું” કે “મહેમાં આવેલ કાળિયો છોડી દેવા જેવું” મૂર્ખાઈ ભર્યું ગણાય. પ્રથમ તીર્થકર શ્રી યુગાદિ જિનેશના પુત્ર બાહુબળિએ તક્ષશિલાના ઉધાનમાં પ્રભુનાં પગલાં થયાં ત્યારે તમારી માફક જ વાત ઠેલી હતી. તું તે અઠવાડીયાનો વાયદો કરે છે પણ એ બિચારાએ તે માત્ર એક રાતને જે વિલંબ કરેલે સવારે તે મેટા ઠાઠ માઠથી પ્રભુ વંદન માટે નિકળવાના પયગામ સારી પ્રજામાં છેડેલા. એ મુજબ સવારી ઉદ્યાનમાં આવી પણ પહોંચી. પણ ભગવંતઋષભદેવ તો તે પૂર્વે વિહાર કરી ગયેલા. એ મહાબળવાન રાજવીની દશા કમલ ક્રોષગત ભ્રમર જેવી થઈ પડી. કવિએ ગાયું છે કે – કમળ કાષગત ભ્રમર વિચારે, કરશું પ્રભાતે પ્રયાણ કાળ મતંગજ કરે પ્રળિયો, સમજ્યો નહીં નાદાન એ સવા સોળ રતિ છે. સંતની વિહાર નેબત ક્યારે ગાજશે એનાં ઠેકાણું નહીં; પાંચ લટિકામાં પણ આસન સંલે! એમજ માની જોને કે મંદવાડમાંથી ચાર દિન મોડો ઊડ્યો હતો! આ ભવના લાભ કરતાં પરભવના પાથેયની વિચારણા પ્રતિ સાવ દુર્લક્સ ન દાખવવું. પૂર્વના ભાગ્ય હશે જ ત્યારે તું અમારી નજરે યા. ઠડિલ શુદિન નિમિત્તે એવા એકાંત પ્રદેશમાં અમારા પગલાં થયેલાં. વળી અમારાં વચનો સાંભળી ગામવાસી ભાઈ બહેન કરૂણા થયા. વૈદ્યના ઔષધની પણ ટીકી લાગી. આયુષ્યની દેરી બળવાન એટલે તું બચી ગયો. બાકી દુર્ગધથી ભરાયેલ ૫૩ ને લોહી ઝરતાં ગડ મુમથી હર કોઈને કંપારી જન્માવે એવા શરીરની શુશ્રુષા પરમાર્થ દષ્ટિ કરનાર એકદમ ક્યાંથી મળી આવે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy