SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ચમત્કારાની પરપરા ૧૭: એ પવિત્ર તૈયાને સીધાવી ગયા તે ઘડીએ વીતી ગઇ ! સૌ કાઈને અજાયેબી ઊપજી, ભૂપ દિષવાહનના ચહેરા પર નિરાશાની કાલિમા પથરાઇ. તરતજ કરકડૂએ ખુલાસા કરતાં જણાવ્યું કે પિતાશ્રી, આમાં દુઃખ ધરવાનું કંઇજ કારણ નથી. તેમની સલાહ માની મે’ ને સુલેહને વાવટા ફરકાવ્યેા હતે તે તેએ ત્યાંથીજ પાછા ફરવાના હતા. તેમના વૈરાગ્ય રંગ ચેાળમળ જેવા હાવાથી આવા સંસારી વિષયામાં ગૂંચવાવાનું તેમને અનુકૂળ નથી. વધુ સહવાસથી સ્નેહ કે આકર્ષણની ગાંઠ મજબૂત થાય છે એ તેમનુ મંતવ્ય. પુત્ર ! ત્હારી વાત સમજાય તેવી છે. છેડેલી વસ્તુઓ પર રંજમાત્ર મમત્વ ન થવા દેવું એનું નામજ સાચા વૈરાગ્ય વાતમાં તેમણે મને પણ ઇશારા કરી દીધેા છે જ. હું... પણ આ રાજ્ય ચિંતાથી અને સ'સારની લીલાએથી કાંઠે આવ્યા છું. તું ભાર ઉપાડી લે કે હું પણ આત્મશ્રેયના પંથે પળવાની તૈયારી કરૂં. પિતાજી ! આપ શા માટે ઉતાવળ કરે છે? ચપામાં પ્રવેશ કરીએ થાડા સમય સાથે રહીએ. મને અનુભવ મળે. વળી હું કંચનપુરમાં જઇ દેાબસ્ત કરી આવુ. પછી તમે। નિરાંતે ચારિત્ર ગ્રહણ કરો. હું આડ ંબર પૂર્વક એ ક્રિયા કરાવીશ. ના, દીકરા ! એવા લાંબા વિલંબમાં હું પડનાર નથીજ. હારી માતાના વિરહથી મારૂં હૃદય અર્ધું" તે ભાંગી ગયું હતુંજ ત્યાં આ રહસ્ય મંત્રીના સમાગમથી ધારિણી જેવું યાગ્યપાત્ર મળ્યું. થોડાંક વ સુખના ગયા. ત્યાં ભાગ્ય રૂયું અને એ ચાલી ગઇ. વ્હાલી દીકરી વસુમતીનું શું થયું એ હજુપણ જણાયું નથી. એ પછી આવનાર અભયાએ તે। હદજ કરી વળી છે. અંતરમાં પ્રગટેલ દુ:ખ મીં રહેવાથી શમવાનું નથીજ. ભગ્નહ્રયા હું યેાગ્ય પાત્રની શોધમાંજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy