SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક, [૩૭] હાથી ચાલ્યો આવે છે અને બાજુએ ઘોર અંધારું છે. વચ્ચે બાણે વરસે છે, ગામ સળગ્યું છે અને રણ ધગ ધગે છે. તે હે! તેલિ! હવે ક્યાં જવું.? તેયવિ છે – જેમ ભુખ્યાનું શરણ અન્ન છે, તરસ્યાનું શરણ પાણી છે, રેગીનું શરણ ઔષધ છે અને થાકેલાનું શરણ વાહન છે તેમ ચારે બાજુ ભય છે તેનું શરણુ પ્રવજ્યા છે. પ્રવ્રજિત થએલા શાંત દાંત અને જિતેંદ્રિયને કશે ભય હેતે નથી, દેવે કહ્યું ! હે તયલિ! જ્યારે તું આ સમજે છે ત્યારે શા માટે ભય કરે છે. આ સાંભળીને તેયલિને પિતાના પૂર્વજન્મનું સ્મરણ થયું અને પિતાના પુર્વભવનું તેને ભાન થતાં તે સંયમ આદરવાને નિશ્ચય કરી પ્રમદવન નામના ઉદ્યાનમાં જઈને ઉગ્ર સંયમી થઈને રહેવા લાગ્યા. આ રીતે સંયમ, તપ અને ત્યાગપૂર્વક રહેતાં રહેતાં તે સિદ્ધ, બુદ્ધ અને મુકત જેવું જીવન ગાળવા લાગ્યા. હવે રાજ કનકધ્વજને ખબર પડી કે તેયલિપુત્ર તે એક ઉદ્યાનમાં યોગીની પેઠે રહે છે. પિતે વિના અપરાધે તેને અનાદર કરેલું હોવાથી તે તેની પાસે જઈને વારંવાર ક્ષમા માગવા લાગ્યો. મંત્રી હવે સમભાવી થએલે હતે. એટલે તેણે તે રાજાને સમભાવ પ્રધાન ધર્મને ઉપદેશ કર્યો. રાજાએ પણ શ્રમપાસકની મર્યાદામાં આવે એટલે ધર્મ સ્વીકાર્યો. પછી તેયલિપુત્રોગી સંયમને ઉપદેશ દેવાને ગામે ગામ ફરતે ફરતે અંતે સિદ્ધ, બુદ્ધ અને મુકત થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy