SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] સામાયિક સંઘ ઘટે છે, ત્યારે દત્તે કહ્યું કે એ વાતની કંઈ ખાત્રી આપશે? ત્યારે મહારાજે કહ્યું કે આજથી સાતમે દિવસે તારા મુખ ઉપર નરકના છાંટા પડશે. આ મુનિરાજનું વચન મિથ્યા કરવા તેણે ઘણા પ્રયત્ન કર્યા પણ ભાવી ભાવ જે બનવાનું છે તે કઈ કદિ પણ મિથ્યા કરી શકે તેમ નથી. આથી દત્ત બહાર આવી ઉપાશ્રયની ચારેબાજુએ સિપાઈઓ ગોઠવ્યા. અને મુનિરાજને સાત દિવસ સુધી ખડે પગે ઉભા રહેવાને હુકમ કર્યો અને પોતે પણ સાત દિવસ સુધી મહેલમાંથી બહાર ન નીકલવાનો નિશ્ચય કર્યો. બન્યું એમ કે સાતમા દિવસને આઠ દિવસ જાણી મહેલમાંથી પિતે બહાર નિકળે અને ઘોડેસ્વાર થઈ ગામમાં ફરવા ગયે. તે બજારમાં જ્યાં જાય છે ત્યાં રાત્રે માળી ઝાડે જવાની ખણસ થવાથી શૌચ ગએલે, જે કઈ જાણે તેથી કરી ને પિતાની પાસે જે ફુલ હતાં તેને ઢગલે તે પર કરેલો. દત્ત પવનવેગે રસ્તામાં ઘડા ઉપર જતું હતું ત્યાં તેના ઘડાને પગ તે શૌચમાં પડ્યો. અને તેને નરકના છાંટા ઉડ્યા. આથી મુનિરાજની ભવિષ્યવાણી સાચીની તેને ખાત્રી થઇ અને મુનિરાજ પાસે તે ગયે. મુનિરાજે તેને ઘણે બોધ આપે અને તેની સાન ઠેકાણે લાવ્યા. અને તેની અજ્ઞાનતા મુનિરાજે દૂર કરી. અને તેણે કબુલ કર્યું કે હિંસક યજ્ઞ કરે તે ભવ-જલ નિધિ તરવાને બદલે તેમાં બુડાવનાર છે અને તે નરકમાં લેઈ જનારે છે. આથી ખરો યજ્ઞ કે હવે જોઈએ, તેની તેને ગુરૂ મહારાજના બોધથી ખાત્રી થઈ. તે ગુરૂમહારાજની રજા લઈ પોતાના રાજ્યમહેલમાં ગયે અને તુરંગમાં જે તેણે પોતાના માલીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy