SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદારતાને ઉદય ન થાય, ત્યાં સુધી નવીન જૈન-ક્રિયા જૈનેઉત્પન્ન થવા દુર્ધટજ છે. આવી ઉદારતા જૈન જાતિમાં આવવાને હજુ લાંબો સમય જોઈએ—અને તેટલા માટે હાલ તે જે જૈન છેજૈન ધર્મ પાળનારા છેખાસ ક્રિયાજૈનો છે, તેમને માટે જ વિચાર કરે ઉચિત છે. જૈન જાતિ અનેક વિભાગોમાં વિભક્ત છે. એશવાળ, પિરવાળ, શ્રીમાળ, શ્રીશ્રીમાલ, પલ્લીવાલ, અગ્રવાલ ઈત્યાદિ ઇત્યાદિ. આ બધા વિભાગમાં જેઓ જૈનધર્મને માનનારા છે, તે પણ ત્રણ વિભાગમાં વિભક્ત છે. શ્વેતાબર, દિગમ્બર, સ્થાનકવાસી. સ્થાનકવાસીને એક ભેદ બીજે-તેરાપંથી ગણીએ તે ચાર ભેદ. આ ચારે ભેદો મહાવીરને માનનારા છે. એટલે કે જૈનધર્મના નામે તે તેઓ બધા એકજ છે. આવી સ્થિતિમાં આ બધાએ વિભાગવાળાઓ એક બીજાની સાથે સંબંધ જોડે, તે પણ જાતીય ક્ષેત્ર ઘણું વિશાળ બની શકે તેમ છે અને તેથી માત્ર કન્યાઓના અભાવે ધર્મ છેડી વિધર્મમાં દાખલ થવાના પ્રસંગો તો જરૂર અટકી જ જાય. પ્રભુ હેમચંદ્રાચાર્યો માગનુસારીના પાંત્રીસ ગુણોનું વર્ણન કરતાં વિવાહની યોગ્યતામાં ત્રણ બાબતે ઉપર ખાસ ધ્યાન આપવાનું સૂચવેલ છે – ટૂઃ ધ પોઝાડાત્ર છે જેનું કુલ અને શીલ સમાન હેય અને અન્ય ગાત્રીય હાય-એવાં સ્ત્રી પુરૂષનું લગ્ન થઈ શકે. આમાં ક્રિયા કે વિચાર ભિન્નતાની તો ગંધ પણ નથી, વિચારભિન્નતા કોનામાં નથી હોતી ? જ્યાં મસ્તક ભિન્નતા, ત્યાં વિચાર ભિન્નતા ખરી જ. હા, લગ્ન સંબંધમાં કુલ, શીલ ( આચાર) અને અન્યત્રપણું અવશ્ય જોવું જોઈએ. આ ત્રણ બાબત ઉપર ધ્યાન આપી જૈનજાતિ વિવાહના ક્ષેત્રનું સર્કલ બાંધે, તે કેટલી બધી જાતીય ઉન્નતિ થાય ? પરંતુ આશ્ચર્યને ૩૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy