SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખેા. નું સ્વાંગ આપ્યું છે. એ રૂઢિયામાંથી જરાયે કાઇ ચસકયા- એ રૂઢિને નહિ સ્વીકારવાના જરાયે કાઇએ ડાળ કર્યાં, કે તત્કાળ એ રૂઢિપૂજકાએ એના ઉપર હુમલા કર્યોજ છે. ગચ્છ-ગચ્છની લડાઈઓ, એ કાને આભારી છે ? શ્વેતામ્બર દિગમ્બરની લડાઇઓ, એ કાને આભારી છે ? શૈવ અને શાક્તની, રામાનુજ અને રાધાસ્વામિયેાની, એ બધી લડાઇયેા કાને આભારી છે ? કેવળ રૂઢિયામાં માનેલી ધમ ભાવના ને ! . કપાળમાં એક લીટીનું તિલક કાઢનાર, એ લીટીના તિલક વાળાની નિંદા કરે, અને એ લીટીવાળેા ત્રણ લીટીવાળાની નિંધ્ર કરે, જ્યારે ત્રણ લીટીવાળા ગેાળ તિલકવાળાને નિર્દે! પરન્તુ તેઓ માત્ર એટલુ જ સમજે કે-કાઇ થડ કલાસના ડબ્બામાં બેઠા તાયે શું, અને કાઇ સેકન્ડ કલાસમાં કે ફર્સ્ટ કલાસમાં બેઠો તેાયે શુ ? અને કદાચ ગાળ તિલકધારીને રિઝવા ડબ્બામાં બેઠેલ માની લઇએ, તેાયે શુ ખાટુ ? એમાં લડાઇ કરવાની કે નિંદાની શી જરૂર ? પ્રભુના નામે કાઈને કાઇ ડબ્બામાં બેઠે તે છે ને ? અને કદાચ, ડબ્બામાં ન ખેસતાં પગે ચાલે અર્થાત તિલક કર્યા વિના જ રહે, તેાયે શું ? એવી નજીવી બાબતેામાં લડાઇયેા કરવી, એ પેાતાના માનેલા પૃષ્ટ દેવની ભક્તિ છે કે કુભક્તિ ? એના વિચાર એ રૂઢીપૂજકાને ભાગ્યે જ થાય છે. , ત્યારે ‘રૂઢિયા ’ એ શી વસ્તુ છે ? એ સંબંધી આપણે કંઈક વિચાર કરીશું. " રૂઢિ ' એટલે રિવાજ. અથવા સ્પષ્ટ શબ્દોમાં કહીએ ત કાઇ પણ સામાજિક યા ધાર્મિક કાર્યો વ્યવસ્થિત રૂપે ચલાવવા માટે બાંધવામાં આવેલા નિયમે. આ સિવાય · રૂઢિ ' એ બીજી" કજ ૨૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy