SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂતમવાદ. શકીએ. અમે સાધુ, એટલે નજીવા મતભેદ ધરાવનાર કે વિચાર સ્વાતંત્ર્ય રાખનારને સંઘબહાર કે જાતિબહારની શિક્ષા કરી કરાવી શકીએ. અમે સાધુ, એટલે આત્મકલ્યાણને સીન ઉભો કરી, ગમે તેવા બાળકે કે અબળાઓને દીક્ષા આપવા નસાડી ભગાડી શકીએ. અમે સાધુ, એટલે જ્યાં જઈએ ત્યાં શ્રાવકેએ ઉત્સવો ધૂમધામેઉજમણાં-ઉપધાને કરવાં જ જોઈએ. અને તે નિમિત્તે અમારી વાહવાહ પેપરમાં આવવી જ જોઈએ. પછી ભલે સમાજનાં લાખો મનુષ્યોને એક વખતનું અન્ન પણ ન મળતું હોય. ભલે, લાખો બાળકે અને યુવકે અશિક્ષિત અવસ્થામાં જીવન ગુજારતા હોય, બબ્બે હજાર વિધવાઓ રોટલીના ટુકડા માટે સગા સંબંધીઓ અને બીજાઓને ત્યાં ભટકી ઠેકરે ચઢતી હેય. અમને તેની દરકાર નથી. અમારે તે અમારું કામ છે. અમારું નામ થવું જોઈએ. ફલાણા ગામમાં ફલાણા મહારાજના પધારવાથી આ અપૂર્વ ઉત્સવ થ હતો અને આટલા દિવસ નકારસીઓ ઉડી હતી, તેમ ફલાણા ફલાણા ગામથી પ્રસિદ્ધ બેંડ બોલાવવામાં આવ્યાં હતાં, એમ પેપરમાં આવવું જ જોઈએ. અમે તો સાધુ, એટલે સાહિત્યસેવક તરીકેનું કે એવું કંઈ પણ સ્વાંગ રચી લેક પાસેથી પૈસા કઢાવીજ શકીએ, પછી પૈસાને ગમે તે દુરૂપયોગ થતો હોય. ગુરૂડમવાદિયે પિતાની સત્તાના અભિમાનમાં શું શું નથી કરી શકયા અને શું શું નથી કરતા ? આજ ગુરૂગમવાદિના ઉપદ્રવથી જૈનસમાજ કેટલી ત્રસ્ત બની રહી છે ? એક પણ કાર્ય સોંગ સુંદર નથી બની શકતું એનું શું કારણ છે ? ગુરડમવાદિને ગુરૂડમવાદજભૂલવું જોઈતું નથી કે આપણું પ્રસિદ્ધ પેઢીઓ ગુરૂકમવાદિના ફંદમાં ન ફસાઈ હત, તે આજે તેના પ્રત્યે જે મતભેદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy