SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ अपरं वा किं भविष्यति ? સ્વીકારી સ્વો છે, તે આપણે તેનાં વચનાના આદર કરી યથાશકય આપણી તે ભૂલને સુધારવા પ્રયત્નશીલ થવુ જોઇએ. અને વસ્તુતઃ તેનુ વકતવ્ય અસત્યજ છે, તે તેના સભ્યતાપૂર્વક પ્રતીકાર કરવા જોઇએ. આ જૈનધર્મની રક્ષા માટે આપણા ઉપર જે જીમ્મેવારી રહેલી છે, તે આપણે સમજવી જોઇએ છે. જૈનધમ યૂનિવર્સલ ધમ છે. ધર્મના તા દુનિયા ભરમાં પ્રચાર થવા જોઇએ. અને તેમાં પણ સમય એટલા બધા અનુકૂળ આવી લાગ્યા છે કે આ સમયે તે જેટલા ધર્મના પ્રચાર કરવા હાય તેટલા થઇ શકે તેમ છે. નથી પહેલાંના જેવા રાજકીય પ્રતિબંધના કે નથી પહેલાંના જેવા પ્રજાકીય ઢો. મેદાને ખુલ્લાં છે. દરવાજા ઉઘાડા છે. ખેલે તેનાં ખેર વેચાય છે. · લાડી તેની ભેશ ' થઇ પડી છે. ગમે ત્યાં વિચરા. ગમે ત્યાં મેસા ને ગમે ત્યાં ઉભા રહેા. મચ્છમાં આવે તેમ પોતાનાં તત્ત્વા-પોતાનાં મન્તવ્યો જનતાની સમક્ષ મૂકી શકાય છે. મૂકનાર જોઇએ. પ્રકાશનાર જોઇએ. બહાર પાડનાર જોઇએ, પરન્તુ ખામી તેટલીજ છે. મૂકનાર નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને :ઓળખનાર નથી. અને તેથી જ અત્યારે ઉલટા પ્રવાહ થઇ રહ્યા છે, જે સમયે હજારા મનુષ્યા ભદ્રિક પરિણામી થવા જોઇએ, તે સમયે હજારો મનુષ્યા જૈનભાવનાઓથી ચિત થઈ રહ્યા છે. અને જે સમયે લાખા નવા જૈના ખની શકે તેમ છે, તે સમયે ખુદ જૈનો જૈનધમ ને છેાડી રહ્યા છે. જગતમાં જિજ્ઞાસા વધી છે, તત્ત્વાતત્ત્વના વિચારા ત્રણા થાય છે, પરન્તુ તેમની જિજ્ઞાસા આપણે કયાં પૂરી કરીએ છીએ ? આપણે તેઓને કયાં ઉપદેશ આપીએ છીએ ? આપણે કયાં સાહિત્ય પૂરૂ પાડીએ છીએ ? આપણે વાસ્તવિક જૈનધમની શિક્ષાનાં કયાં પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy