SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વાન્કામાં શ્રી દુર્ગા પૂજા તેમ જ હિંદુ સંમેલન તા. ૯-૧૦-૪૮, તા. ૧૦-૧૦-૪૮ તથા તા. ૧૧-૧–૪૮ ને દિવસે સ્વાઝામાં ભારતીય સંસ્કૃતિક પ્રતિનિધિ મંડળી તરફથી શ્રી દુર્ગાપૂજા મહત્સવ ઉજવવામાં આવ્યું હતું. અને એ પ્રસંગે એક વિરાટ હિંદુ સંમેલન પણ ભરાયું હતું. સંધના બ્રહ્મચારીઓએ જાતે જ શ્રી દુર્ગા માતાની એક વિરાટ મૂતિ ઘડી હતી સ્થાનિક એક શ્રીમંત શેઠના મકાનના વિરાટ ચોગાનમાં એ માટે સુસજિજત મંડપ બંધાયા હતા. સમગ્ર પૂર્વ આફ્રિકાના જુદે જુદે સ્થળેથી પ્રવાસી હિંદુ ભાઈ બહેનેએ ટ્રેન, સ્ટીમર, મોટર તેમ જ વિમાન મારફતે ઘણી મોટી સંખ્યામાં આવીને આ ઉત્સવ તેમ જ હિંદુ સંમેલનમાં ભાગ લીધે હશે. એ પ્રસંગે શ્રી દુર્ગા માતાની પૂજા, વીર નૃત્ય અને શસ્ત્રાસ્ત્રોથી આરતિ, શ્રી ગુરૂપૂજા. શ્રી ચંડીપાઠ, યજ્ઞ, ભજન કીર્તન, વ્યાખ્યાન, પ્રસાદની વહેંચણું, વ્યાયામના પ્રાગે વગેરે જુદા જુદા આકર્ષક તેમ જ પ્રેરક કાર્યક્રમો રખાયા હતા. જેમાં હિંદુઓ ઉપરાંત આફ્રિકને તેમ જ યુરોપિયન પણ ભાગ લેતા હતા. તા. ૯મીના હિંદુ સંમેલનનું પ્રમુખપદ પ્રાદેશિક હિંદુ યુનિયનના પ્રમુખ શ્રી હરિલાલ અમ. સંઘવીએ લીધું હતું. પ્રમુખશ્રીએ પતિને અભિભાષણમાં કહ્યું હતું કે –“વર્તમાન યુગને માટે સૌથી ઉગી સંદેશ અને શકિતને જ સંદેશ એ શકિતને સંદેશ છે. ભારત સવાર સંધના આદ્ય સ્થાપક સ્વામી શ્રી પ્રણવાનંદજીએ એથી જ ઘેષણ કરી ગયા છે કે જે ધર્મ શક્તિ નથી આપતે, જે ધર્મના આચરણથી મનુષ્યના દેહ-મન-પ્રાણમાં વીજળીની તાકાત ઝળકી નથી ઉઠતી, તે ધર્મ નથી-હિંદુ ધર્મ તો નથી જ. આજે ધર્મને નામે જે કંઈ ચાલી રહ્યું છે તે સાચે ધર્મ નથી. સાચો ધર્મ તે હેત તે અમારામાં એટલી બધી દુર્બળતા ને કાયરતા. આવવા ન પામત” મંડળના નેતા સ્વામી શ્રી અદ્વૈતાનંદજીએ કહ્યું હતું કે– “શ્રી દુર્ગા માતા એ ભારત રાષ્ટ્રની જ પ્રતિમતિ છે. અન્યાય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035221
Book TitlePurv Africama Bharatiya Sanskritino Prachar
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy