SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તર રસધારા : ૬૭: પ્રશ્ન ૩––ઉપશમ સબક્તિ પામવાવાળે આત્મા યથાપ્રવૃત્તિકરણની શરૂઆતથી, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ કરી ઉપશમ સમકિત પામી, તે પૂર્ણ થતા સુધીમાં કુલ કેટલે કાળ ભોગવે છે? ઉત્તર–વથાપ્રવૃત્તિ, અપૂર્વ, અનિવૃત્તિ અને ઉપશમ સમતિ એ દરેકનો જુદે જુદો કાળ અંતર્મુહૂર્ત જેટલું છે અને દરેકનો કાળ ભેગો કરવામાં આવે તે પણ અંતર્મુહૂર્ત થાય છે, પરંતુ તે અંતર્મુક્રર્તનું પ્રમાણ દરેકના અંતર્મુદત કરતાં મેટું સમજવું. પ્રશ્ન –આત્માનંદ પ્ર. પુ. ૩૭ અંક છઠ્ઠાના પાના ૧૫૪ માં કૃતજ્ઞાનના લેખમાં બતાવ્યું છે કે અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્ત જેટલા કળમાંથી સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અંતરકરણ કરે છે, તેમાં આત્મા દાખલ થાય ત્યારે ઉપશમ સમક્તિ પ્રાપ્ત થયું જ્યારે અંક સાતમાના પાન ૧૯૦ ની હકીકત વાંચતાં સમજાય છે કે અનિવૃત્તિકરણના છેલ્લા સમય સુધી આત્મા મિયાદષ્ટિ છે. આમ બન્ને સ્થળની હકીક્ત વાંચતાં ભિન્ન ભિન્ન વસ્તુ સમજાય છે; તો વાસ્તવિક શું સમજવું? ઉત્તર–અંતરકરણ યિાકાળ અને અંતરણ ભાગ્યકાળ એ બને જુદી જુદી અવસ્થાઓ છે. અનિવૃત્તિકરણને સંખ્યાતમે ભાગ શેષ રહે ત્યારે આત્મા અંતરકરણ કરે છે, એટલે ભવિષ્યમાં પોતાને જે ઉપશમ સમકિત પ્રાપ્ત થનાર છે, તેના માટે અંતઃકરણ કરવાની ક્રિયા શરૂ કરે છે. (મિથ્યાત્વના દલિકા જે સંલગ્ન એકસરખી સ્થિતિવાળાં હતાં. તેમાંથી અંતર્મદ સુધી કેઈપણ દલિકે ઉદયમાં ન આવી શકે તે પ્રમાણે તેને આગળ પાછળ પ્રક્ષેપવાની ક્રિયા કરવી તે.) આને અંતરકરણ ક્રિયાકાળ કહેવાય. અને તે અંતરણ ક્યિાકાળમાં આત્મા મિયાદષ્ટિ હોય, પરંતુ તે અંતરકરણને ભોગવવાનો કાળ તો અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી જ પ્રારંભાય છે, અથવા અંતરકરણ ક્રિયાવંડે અંતર એટલે મિથ્યાત્વનાં દલિથી વિરહિત અંતર્મુહૂર્ત જેટલો ખાલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035212
Book TitlePrashnottar Rasdhara
Original Sutra AuthorN/A
AuthorZaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1950
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy