SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તર રસધારા : ૪૫; પ્રશ્ન ૯૯—સામાયક કે તપસ્યા અમુક મુદતમાં કરવાનું નિર્ણીત કર્યુ હોય, પર ંતુ શારીરિક કારણથી તે મુદ્દતમાં બની ન શકે તે તેને બદલે બોજું કાંઈ કરાય ? અથવા તેને બદલે બીજો કરે તે! ચાલી સકે? ઉત્તર—મુદ્દતસર ન બની શકે તે। ત્યાર પછી પણ તેટલાં સામાયક કરી દેવાં, અને તપસ્યા પણ કરી દેવી; તેને બદલે બીજું શા માટે કવું ? મુદત ચૂક્યા બાબત ગુરુ પાસે આલેષણા લેવી; બીજાનું કરેલુ તેા ગણાય જ નહિ. પ્રશ્ન ૧૦૦—વીરપ્રભુનું નિર્વાણ ક્યારે થયું ? અને ગૌતમસ્વામીને વલજ્ઞાન ક્યારે થયું ? ઉત્તર—વીરપ્રભુનું નિર્વાણ આસા વદ -))ની પાછલી રાત્રીએ થયું છે, અને ગૌતમસ્વામીને કેવલજ્ઞાન ખેસતા વર્ષોંની સવારે શર્માને પ્રતિખાધ કરવા ગયા હતા ત્યાંથી પાછા આવતાં માર્ગોમાં સૂર્યોદય પછી થયેલ છે. કલ્પસૂબાધિકામાં ૨૯ મા ર્વાસિદ્ધ મુહૂતૅ વીરપ્રભુ નિર્વાણ પામ્યાનું કુંડલ છે; એટલે ચાર ઘડી રાત્રી બાકી હતી ત્યારે થયાનું સમજવું. પ્રશ્ન ૧૦૧-—એ બન્ને કલ્યાણકનું આરાધન ક્યારે કરવું? ઉત્તર-મહાવીર પ્રભુનું નિર્વાણ કલ્યાણક દિવાળોની રાત્રે આરાધવું; ( દીવાલી લેાકા કરે ત્યારે કરવી એમ કહેલ છે. ) ગૌતમસ્વામીનું જ્ઞાનક્યાણુક બેસતા વર્ષોંની સવારે સૂર્યોદય પછી આરાધવું. પ્રશ્ન ૧૦૨—ાઈ સંબંધીના અત વખતે તેને નિમિત્તે ધમા માં વાપરવા તરીકે અમુક રકમ કહેવામાં આવે છે; પરતુ તે વખતે તેને શુદ્ધિ ડાય છે તે કેટલાકને “ હુ` હવે મરી જઈશ " એવા વિચાસ્થા ખેદ થાય છે; તેા તે કહેવું ઠીક છે કે કેમ ? ઉત્તર—સાંભળનારને ખેદ જેવુ જણાય તે ન કહેવું; બાકી શુદ્ધિમાં હોય ત્યારે જ કહેવું શ્રૃતિ છે, માટે વિવેકપૂર્વક વર્તવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035212
Book TitlePrashnottar Rasdhara
Original Sutra AuthorN/A
AuthorZaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1950
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy